SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ બોધિવૃક્ષ નીચે બુદ્ધ સ્વયંસ્કુરણાથી પોતાના ધર્મના મૂળ સિદ્ધાંતનું અન્વેષણ કર્યું હતું. બુદ્ધની પિતાની કૃતિઓમાં પણ આમ જ દેખાય છે. તેમના અનુયાયીઓને તેમને પ્રથમ ઉપદેશ, તેમણે પછીથી પ્રતિપાદિત કરેલાં સિદ્ધાંતોની જેમ, યાદ રાખવાનો હતો. જેના પ્રમાણભૂત ધર્મગ્રંથોમાં મહાવીર વિષે આવી કોઈ પરંપરા જળવાઈ નથી.. આમ એમના પોતાના જ સંપ્રદાયની પરંપરામાં પહેલેથી જ મહાવીર પહેલાં સ્થપાએલા ધર્મને અનુસરતા દર્શાવાયા છે. એથી વધુ કાંઈ હોત, તેઓ જો જૈન ધર્મના સ્થાપક હોત, તો તીર્થકરોનું સન્માન કરવા સદા ય આતુર એવી પરંપરાએ તેમના સન્માનના હકને દબાવી દીધા ન હત... પણ નિ:શંક તેઓ જૈનોના છેલ્લા તીર્થકર છે. તેમના પૂર્વવતી પાર્થ હતા. પાર્થનું અવસાન મહાવીરના અવસાનના ૨૫૦ વર્ષ પૂર્વે થયું હતું.” જૈન ધર્મ હિંદુ ધર્મની શાખા છે? કેટલાક પશ્ચિમના વિદ્વાનેએ એવું પ્રતિપાદિત કર્યું છે કે હિંદુ ધર્મ સામેના બળવાને પરિણામે જૈન ધર્મને ઉદ્ભવ થયો. શ્રીમતી સ્ટીવન્સનનું વિધાન છે: “હમેશાં એ યાદ રાખવું ઘટે કે જૈન ધર્મ બ્રાહ્મણ ધર્મનું બંડખર સંતાન હેવા છતાં છે તો સંતાન જ. હજી જૈનો બ્રાહ્મણ ધર્મની ઘણી પ્રમુખ માન્યતાઓ ધરાવે છે. બંને ધર્મના મૂળ સિદ્ધાંતમાંથી પોતાના મતને સમર્થન આપવાને બદલે તેઓ આટલું કહીને સંતોષ માને છે: “તેમની ઘણી પૂજાવિધિ હિંદુ પૂજાવિધિ સાથે સામ્ય ધરાવે છે. અને તેમના ગોર, હજી બ્રાહ્મણો જ હોય છે. જો કે મંદિરના પૂજારીઓ બ્રાહ્મણો હોતા નથી.” કેટલાક ભારતીય વિદ્વાનો આ મતની સાથે સંમત થાય છે અને કહે છે કે જેને હિંદુ ધર્મના વિરોધીઓ છે અને તેમને ધર્મ વૈદિક હિંદુ ધર્મની એક શાખા છે. શ્રી. બી. એન. લુનિયા એ મત ધરાવે છે કે “ઈ. પૂ. છઠા સૈકામાં આખા જગતમાં માનવમન બૌદ્ધિક રીતે અત્યંત સતેજ બન્યાં હતાં, ભારતના હિંદુઓ પિતાની પ્રાચીન દાર્શનિક માન્યતાઓથી અસંતુષ્ટ હતા; તેમને સરળ પૂજાવિધિ જોઈતી હતી અને જૈન ધર્મ બ્રાહ્મણ ધર્મની સુધારક પ્રવૃત્તિરૂપે આવ્યો હતો.” પ્રચલિત માન્યતા એવી છે કે હિંદુઓના પશુમાર્ગની વિરૂદ્ધ જેમણે બંડ કર્યું તેમનો ધર્મ તે જૈન ધર્મ. બંને ધર્મોના દાર્શનિક અને તત્ત્વવિદ્યાના વિચારોના મૂળ ભેદોને આધારે આ પ્રશ્ન ઉકેલવાને છે. દિવ્ય ઉત્પત્તિ ધરાવતા મનાતા વેદમાં મુખ્યત્વે ત્રણ દેવોની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy