SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ “સર્વશ્રેષ્ઠ ષભ, વિજયવંત અને મહર્ષિ વીર (મહાવીર) અને તૃષ્ણારહિત અને વિશુદ્ધ બુદ્ધને હું બ્રાહ્મણ કહું છું.” આ ઉપરાંત, બંને ધર્મોની તત્ત્વવિદ્યા તેમજ દર્શનશાસ્ત્રની વિભાવનાઓ પણ ભિન્ન છે. જૈનોને સર્વાત્મવાદ વધારે પ્રાચીન છે. બૌદ્ધ ધર્મ પ્રત્યેક વસ્તુને ક્ષણિક માને છે તે જૈન ધર્મ જીવ તેમજ અજીવને નિત્ય માને છે. બૌદ્ધ ધર્મ અનુસાર, એક જન્મ અને બીજા જન્મમાં વ્યક્તિનું સાતત્ય રહેતું નથી. વિશ્વ ક્ષણિક અને આત્મરહિત છે. આત્મા અમર નથી. એક જન્મથી બીજા જન્મ દરમિયાન નવું જીવન ઉદ્ભવે છે અને તે હકીકતોની પરંપરાને એક ભાગ હોય છે. જૈન ધર્મ બૌદ્ધ ધર્મથી પ્રાચીન છે એવું દર્શાવતા ઘણા સંદર્ભે શ્રી જ્યોતિ પ્રસાદ જેને ટાંક્યા છે. પ્રૉ. હરમાન યાકોબીએ જૈન ધર્મ બૌદ્ધ ધર્મની શાખા છે એવા સાધારણ રીતે પ્રવર્તતા પરંતુ બેટા ખ્યાલનો નિર્દેશ કર્યો છે, અને બધી ખોટી શંકાઓને દૂર કરી છે. “જેને બ્રાહ્મણેતર હોવાથી તેમણે વધારે પ્રચલિત ધારણાઓ અને વધારે આદિમ તેમજ અપરિષ્કૃત સ્વરૂપની માન્યતાઓ વિષે વિચાર્યું છે, દા. ત. સર્વાત્મવાદ. બૌદ્ધ ધર્મના તત્ત્વવિદ્યાના સિદ્ધાંતો સર્વથા ભિન્ન છે... પૂર્ણ અને શાશ્વત એવી કોઈ સત્તા નથી. બીજા શબ્દોમાં કહીએ તે સર્વ કાંઈ ક્ષણિક છે. દર્શનશાસ્ત્રની વિચારણામાં મૂળ ભેદ હોવા છતાં જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ બ્રાહ્મણ ધર્મના ક્ષેત્રની બહાર હોવાથી, બાહ્ય રૂપરેખામાં સમાનતાને ભાસ કરાવે છે. આને કારણે કેટલીક વખત ભારતીય લેખકો પણ તેમાં ગુંચવણ કરી બેસે છે. આથી જૈન સાહિત્યના અપૂરતા ખંડો દ્વારા જૈન ધર્મને પરિચય પામેલા કેટલાક યુરોપીય વિદ્વાનોએ માની લીધું કે જૈન ધર્મ બૌદ્ધ ધર્મની શાખા છે, અને તેઓ આવું માને તેમાં બહુ નવાઈ પામવા જેવું નથી. પણ તેમની માન્યતા ખોટી છે એવું હવે પુરવાર થઈ ચુકયું છે.. બૌદ્ધોના પ્રમાણભૂત લેખાતા ધર્મગ્રંથે તેમના પ્રતિસ્પધી સંપ્રદાય તરીકે જૈન ધર્મના નિર્દેશ કરે છે, પ્રાચીન “નિર્ગત’ (સંસ્કૃત નિ –પ્રાકૃત નિરંથ) શબ્દનો પણ ઉપયોગ કરે છે, બુદ્ધના સમયમાં તેમના નેતા, નાતપુત્ત મહાવીરને પણ નિર્દેશ કરે છે (જેનેના છેલ્લા તીર્થકરને નાત અથવા નાતપુત્ત પણ કહે છે). જૈન પરંપરાની જેમ, તેઓ પણ પાવાને મહાવીરનું મૃત્યુસ્થળ માને છે. મહાવીર બુદ્ધના સમકાલીન હતા અને પાવામાં મહાવીરનું મૃત્યુ થયું ત્યારે બુદ્ધ જીવતા હોવાથી, મહાવીર તે બેમાં વધુ મોટી હેય એ સંભવિત છે. પરંતુ મહાવીર, બુદ્ધની જેમ, પોતાના સંપ્રદાયના સ્થાપક ન હતા. જેન ધર્મ તેમને પોતાના તીર્થ કર તરીકે સન્માને છે પણ જૈન ધર્મના તેઓ સર્જક ન હતા. બૌધ્ધ પરંપરા સર્વાનુમતે માને છે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy