SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૩ જોઈએ કે રોગ પિતાનાં કર્મોને કારણે જ છે. બધા કષાયો અને માનસિક નિર્બળતાઓને તેણે દૂર કરવાં જોઈએ. આનંદદાયક અને બળદાયક ધર્મજ્ઞાનનાં અમૃતથી મનને ભરી દેવું જોઈએ. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રની પ્રાપ્તિ માટે ઉપયોગી હોય ત્યાં સુધી દેહનું રક્ષણ કરવું. દેહ વિનાશી છે. તે જો મૃત્યુ પામે, તે બીજો દેહ પ્રાપ્ત કરી શકાશે પણ દેહ ખાતર જો ધર્મને ભોગ અપાય, તે આધ્યાત્મિક સાક્ષાત્કારમાં મદદરૂપ થતા ધર્મની પવિત્રતા પુન: પ્રાપ્ત થઈ શકતી નથી. જ્યાં કુદરતી કારણથી, કે રોગ અને શત્રુના હુમલા જેવી કોઈ આપત્તિાથી જીવનને અંત આવતો હોય, ત્યારે ઉપવાસ અને ધાર્મિક વ્રતનાં પરિપાલન માટે ધ્યાન ધરીને સલ્લેખનવૃત લેવું ઉચિત છે. જૈન સાધુ, સાધ્વીઓ, શ્રાવકો અને શ્રાવિકા ઉપવાસ કરવા ટેવાએલાં હોય છે તે સૌ કોઈ જાણે છે. હરમાન યાકોબી કહે છે: “તપસ્યામાં ઉપવાસ સૌથી આગળ તરી આવે છે. જૈનએ તેમનો કળા તરીકે વિકાસ કર્યો છે અને તેમાં નોંધપાત્ર પ્રવીણતા મેળવી છે.” અનશન સમય દરમ્યાન સંપૂર્ણ અનાસક્તિ અને માનસિક શાંતિ મેળવવા પ્રયાસ કરવો જોઈએ અને તે માટે ક્રોધ, લોભ, માન, પ્રેમ જેવા દરેક પ્રકારના કષાયમાંથી મનને મુક્ત રાખવું જોઈએ. એટલું જ નહીં, પણ ગુરુ પાસે પોતે કરેલાં પાપને નિખાલસ અને પૂર્ણ એકરાર કરી, પશ્ચાત્તાપ કરવો જોઈએ. આ વ્રત ગ્રહણ કરતાં પહેલાં માનસિક અને આધ્યાત્મિક સમત્વ પ્રાપ્ત કરવું જોઈએ. સાવાર સૂત્ર ત્રણ પ્રકારની સલ્લેખના સમજાવે છે : મોકલ્યાન મરણ, જંતમરા અને વામન. પ્રથમ પ્રકારનું મૃત્યુ અત્યંત સંયમી અને સુશિષ્ટ સાધુ માટે છે. દેહ, વાણી, મનથી તેણે કોઈ પણ પ્રકારનું કાર્ય કરવા, કરાવવા કે કરવાની અનુમતિ આપવામાંથી અટકી જવાનું હોય છે. બીજાં પ્રકારનું મરણ વધારે મુશ્કેલ છે. તે અનુસાર સાધુએ પોતાની જગ્યાએ ખસવાનું નથી અને શરીરની બધી ગતિ અંકુશમાં રાખવાની છે. ત્રીજું મૃત્યુ એથી પણ વધુ કપરૂં છે. અત્યંત કાળજીપૂર્વક જમીન સાફ કરી, શરીરની પૂર્ણ ઉપેક્ષા કરી, દરેક રીતે દેહદમન કરી સુઈ જવાનું હોય છે. જીવન વિષે કોઈ પણ પ્રકારનો ભ્રમ રાખ્યા વિના, જીવના નિત્ય ગુણોનું ચિંતન કરી જ્ઞાનનું અન્વેષણ કરવું જોઈએ. સાધુ અથવા પવિત્ર સાધકે બાહ્ય પદાર્થો પ્રત્યે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy