SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ આકર્ષણ રાખ્યા વગર જીવનને અંત પ્રાપ્ત કરવો જોઈએ. નિર્વાણપ્રાપ્તિની ત્રણ રીતમાંથી ગમે તે એક રીત શાંતિથી સ્વીકારી, મૃત્યુ સ્વીકારવું. આ વ્રતને ઉલ્લેખ કરતાં આચાર્ય કુન્દુકુન્દ કહ્યું છે કે મૃત્યુ ત્રણ પ્રકારનું છે: બાલમરણ, બાલપંડિતમરણ અને પંડિતમરણ. બાલમરણ એટલે એવી વ્યકિતનું મરણ જેને સમ્યક દર્શન પ્રાપ્ત થયું છે પણ પૂર્ણ આત્મનિગ્રહ પ્રાપ્ત નથી થયો. બીજા પ્રકારનું મૃત્યુ આધ્યાત્મિક પ્રગતિની પાંચમી કક્ષામાં આવેલા ગૃહસ્થનું મૃત્યુ છે. તે એક ઈન્દ્રિય ધરાવતા જીવોની હિંસામાંથી અટકી શકતે નથી અને સંયમ વિષે અનિશ્ચિત હોય છે. પંડિતમરણ એટલે પોતાના જીવ વિષે શુદ્ધ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એવા સાધુનું મરણ. તીર્થકર કે ગણધરનું મૃત્યુ આ પ્રકારનું છે. બધાં જ વ્રત અને તપશ્ચર્યાને પ્રધાન ઉદ્દેશ કર્મબંધમાંથી જીવને મુકત કરવાનું છે તેથી સલ્લેખનાવ્રતના હેતુઓ આ પ્રમાણે છે. કર્મો જીવના અંદરના ગુણોને મલિન કરી દે છે. મન અને દેહ શુદ્ધ રાખીને જીવને ધ્યાનપૂર્ણ જીવન જીવવામાં મદદરૂપ થવું જોઈએ. અનશન દેહને પવિત્ર કરે છે, તે ધ્યાન અને આત્મપરીક્ષણ જીવને શુદ્ધિ, ઉન્નતિ અને સાક્ષાત્કારમાં મદદ કરે છે. ઉપર જણાવેલાં કોઈ પણ કારણસર દેહ નાશ પામી શકે છે તેથી અધર્મપૂર્ણ જીવન જીવવા કરતાં નિશ્ચિત મૃત્યુને ક્રમ વધુ ઇચ્છવા યોગ્ય છે. વ્રત ગ્રહણ કરતાં પહેલાં સાધુ કે ગૃહસ્થ બધા કષાયોને જીતી લેવાના હોય છે. સ્નેહનાં બધાં બંધનમાંથી તેમણે સંપૂર્ણ નિરાસક્તિ કેળવી પૂર્વગ્રહ અને દુશ્ચિતનોથી મુકત થવાનું હોય છે. પોતાને માટે સર્વ કોઈ પાસે ક્ષમાયાચના કર્યા પછી તેણે બીજા સૌ પ્રત્યે પરમ ક્ષમાશીલતાભર્યું વલણ રાખવાનું હોય છે. મન આનંદ અને સમત્વથી પૂર્ણ હોવું જોઈએ. આ વ્રત સંપૂર્ણ વૈરિછક રીતે ગ્રહણ કરવાનું છે. મન કે ચારિત્રમાં કોઈ પ્રકારના દોષ કે અતિચારને અવકાશ આપવાનો નથી. ધર્મગ્રંથોના નિયમ અનુસાર સલેખના દ્વારા મૃત્યુ એટલે કર્મ, અને મન તેમજ દેહની બીજી અપૂર્ણતાઓ પર જીવન વિજય. પવિત્ર અને ધર્મમય જીવનની પરાકાષ્ઠાએ પહોંચાડતા આ એક પૂર્ણત્વને વ્યાપાર છે. ધાર્મિક લક્ષણ અને તપશ્ચર્યા હોવા છતાં પૂર્વ અને પશ્ચિમના કેટલાક વિદ્વાનોએ આ વ્રતને આત્મહત્યા અથવા આત્મહત્યાને એક પ્રકાર કહ્યો છે. આ દૃષ્ટિકોણમાં સલ્લેખના અને આત્મહત્યા સામાજિક અને મનોવૈજ્ઞાનિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy