SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ જાય છે. નિરાશા અને શૂન્યતાની કાંચળીમાંથી તેઓ બહાર આવી જાય છે. મૃત્યુ સમયે પોતાનું વર્તન અંકુશમાં રાખવું તે સાધુત્વનું ફળ છે. આચાર્ય સમંતભદ્રે ઘણુંખરૂ બીજી સદીમાં થઈ ગયા. પોતાના રત્ન ૨૫૩ શ્રાવાવાર' નામના ગ્રંથમાં તેમણે આ વ્રતની વિસ્તૃત સમજ આપી છે. આ વ્રતને સન્યાસમરણ પણ કહે છે. આ વ્રત જે ગ્રહણ કરે તેણે વિશુદ્ધ મનથી, મિત્રતા, શત્રુતા, સંગ અને પરિગ્રહના ત્યાગ કરવા જોઈએ. પોતાના મિત્રો, સ્વજન અને સેવકોને ક્ષમા આપવી જોઈએ અને મધુર શબ્દોમાં દરેકની ક્ષમાયાચના કરવી જોઈએ. ગુરૂ આગળ નિખાલસ દિલે પોતે કરેલાં કે બીજાંને કરવા પ્રેરેલાં પાપાની, કે બીજાના પાપમાં સંમતિ આપી હોય, તેની ચર્ચા કરવી જોઈએ, અને મૃત્યુપર્યંત વ્રતનું પાલન કરવું જોઈએ. તે સમય દરમ્યાન, મનમાંથી તેણે બધા શાક, ભય, દિલગીરી, સ્નેહ, ધિક્કાર, પૂર્વગ્રહ દૂર કરી નાંખવાં જોઈએ અને ઉત્સાહ અને મનોબળ દાખવી, ધર્મજ્ઞાનરૂપી અમૃતથી મનને અત્યંત આનંદમાં રાખવું જોઈએ. તેણે ધીરે ધીરે ભાજન છોડી દેવું જોઈએ અને દૂધ, છાશ જેવા પ્રવાહી ખારાક લેવા જોઈએ. પછી તેણે દૂધ પણ છેડીને માત્ર ગરમ પાણી લેવું જોઈએ. પછી ધીરે ધીરે, પાતાની શક્તિ પ્રમાણે, ગરમ પાણી પણ લેવું બંધ કરી, અનશન ચાલુ રાખવું જોઈએ અને મનને નમેાકારમંત્રનાં ધ્યાનમાં રોકાયેલું રાખી દેહત્યાગ કરવા જોઈએ. આ વ્રતનાં પાલનના સમય દરમ્યાન પાંચ પ્રકારના અતિચારોનો તેણે પરિહાર કરવાના છે : (૧) મૃત્યુ જરા મેડું આવ્યું હોય તો સારૂ એવી ભાવના તેણે સેવવાની નથી. (૨) જલદી મૃત્યુ થાય એવી ઇચ્છા પણ સેવવાની નથી. (૩) મૃત્યુની વેદના શી રીતે સહન કરીશ એવી શંકા તેણે સેવવાની નથી. (૪) મૃત્યુ સમયે સ્વજના કે મિત્રોને યાદ કરવાના નથી. (૫) તપશ્ચર્યાનાં ફળરૂપે કોઈ ઈચ્છા રાખવાની નથી. ઉમાસ્વામીના મત પ્રમાણે સલ્લેખના વ્રત મૃત્યુ નજીક હોય ત્યારે અત્યંત રાજીખુશીથી અથવા સ્વૈચ્છિક રીતે લેવાનું હોય છે. આ વ્રત લેનાર વ્યક્તિ પોતે કરેલાં કે કરવા પ્રેરેલાં પાપાના નિખાલસ એકરારથી મનની શાંતિ મેળવી શકે છે. આચાર્ય કે ગુરૂ પાસે જવું શકય ન હોય, ત્યારે શાંતિથી બેસીને પંચ પરમેષ્ઠીનું ધ્યાન ધરીને પાતે કરેલાં કે કરાવેલાં દરેક પ્રકારનાં પાપ અને અતિચારને યાદ કરવાં જોઈએ. પાતે જો પ્રાણઘાતક કે ગંભીર રોગથી પીડાતી હોય તે શાંતિ અને સમત્વપૂર્વક બધું દુ:ખ સહન કરવું જોઈએ અને મનમાં દૃઢ માન્યતા ધરાવવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy