SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૭ સલ્લેખના ભગવાન મહાવીરે કહયું છે કે મૃત્યુ દ્વારા જીવનને અંત બે રીતે આવે છે: પોતાના સંકલ્પ દ્વારા મૃત્યુ અને પિતાની ઇચ્છા વિરૂદ્ધ મૃત્યુ. સુખ અને આનંદમાં આસકિત ધરાવતે અજ્ઞાની પુરુષ ધર્મના નિયમનું ઉલ્લંઘન કરે છે, અધર્મને આશ્લેષ આપે છે અને મૃત્યુ આવે ત્યારે ભયથી પૂજી ઊઠે છે. જીવનને સદુપયોગ કરવાની તક ગુમાવીને તે દુ:ખમાં મૃત્યુ પામે છે. પિતાની જાતને અંકુશમાં રાખતા સદ્ગણી જનો પોતાની ઇન્દ્રિયોને વશ કરી શાંતિપૂર્વક મૃત્યુને સામને કરે છે, અને કોઈનાં દુ:ખનું કારણ બનતા નથી. આવું મૃત્યુ પ્રત્યેક શ્રમણને અને કેટલાક શ્રેષ્ઠ ગૃહસ્થને મળે છે. સલ્લેખના એટલે અંત જ્યારે નજીક આવ્યો હોય, અને સાધુ કે ગૃહસ્થ માટે વૃદ્ધાવસ્થા, અસાધ્ય રોગ, કે કારમાં દુષ્કાળને કારણે ધર્માનુસાર સ્વાભાવિક જીવન જીવવું શકય ન હોય, ત્યારે સ્વૈચ્છિક રીતે મૃત્યુને ભેટવું. બધા કષાયોને તેણે ગૌણ બનાવી દેવા જોઈએ અને બધી સાંસારિક આસકિતઓને ત્યજી દેવી જોઈએ. બધી જ તપશ્ચર્યાનું પાલન કરવું જોઈએ. ક્રમશ: ભજન અને પાણી લેતાં અટકી જવું જોઈએ અને જીવનમાં સાચાં સ્વરૂપનું ધ્યાન ધરતાં, જીવ દેહથી છુટ પડે ત્યાં સુધી સુઈ રહેવું જોઈએ. આ વ્રત પાછળનો મૂળ વિચાર એ છે કે મનુષ્ય પોતાના ભાગ્ય વિધાતા છે. તેનું મૃત્યુ એવી રીતે આવવું જોઈએ કે નવાં કર્મોને આસ્રવ અટકી જાય અને જીવને હજી વળગી રહેલાં કર્મનાં બંધનોમાંથી જીવ મુક્ત થાય. પ્રત્યેક જીવ સ્વભાવે શુદ્ધ અને પૂર્ણ છે. તે અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત આનંદ અને અનંત બળથી વિશિષ્ટ છે. અનાદિકાળથી તે કર્મ સાથે સંકળાએલો છે. પરિણામે જન્મ–મૃત્યુ અનુભવતાં અનેક પ્રકારનાં અસ્તિત્વોને પાત્ર છે. કર્મનાં બંધનમાંથી જીવને મુક્ત થવાને માર્ગ બતાવો તે ધર્મને પરમ હેતુ છે. જેઓ આ વ્રત લે છે તેઓ તત્કાળ આત્મનિર્ભર, આત્મનિષ્ઠ અને આત્મપ્રશાંત બની જાય છે. વ્યક્તિગત દષ્ટિબિંદુઓ અને પીડાઓથી દુ:ખી થવાનો અંત આવી જાય છે. તેઓ વાસનાની ઝંખના અને તૃષ્ણાઓની ઉપરવટ થઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy