SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ માનસિક અને વાણીની પ્રવૃત્તિઓ બંધ થાય છે. દેહની પ્રવૃત્તિ સૂક્ષ્મ જ રહે છે. છેલ્લા પ્રકારનાં શુકલ ધ્યાનમાં દેહની સૂક્ષ્મ પ્રવૃત્તિ પણ અટકી જાય છે. મનનાં, વાણીનાં, શરીરનાં આંદાલનાથી જીવ મુક્ત બને છે અને પાંચ અક્ષરો બાલ્યા પછી તરત જ દેહરહિત મેાક્ષ મેળવે છે. સાધુનું છેલ્લું વ્રત સલ્લેખના વ્રત છે. તે ગૃહસ્થ અને સાધુ બંનેનું સાધારણ વ્રત છે, અને તેથી તેની ચર્ચા જુદા પ્રકરણમાં કરી છે. સાધુના ચારિત્રના નિયમા તેમજ તપશ્ચર્યા અત્યંત કઠણ છે તે સ્પષ્ટ છે. જે માનસિક રીતે ત્યાગમય જીવન જીવવા તૈયાર હોય તેને જ દીક્ષા આપી શકાય છે. હિંદુધર્મના વર્ણાશ્રમધર્મના સિદ્ધાંતા જૈન ધર્મ નથી સ્વીકારતા તેના અર્થ એવા કરી શકાય કે કોઈ પણ ઉંમરે સાધુ થઈ શકાય. પણ અગિયાર પ્રતિમાઓ અને ચૌદ ગુણસ્થાનોના સિદ્ધાંત પુરવાર કરે છે કે જૈન તત્ત્વદર્શનની યથાર્થતામાં પૂર્ણ શ્રદ્ધા ધરાવતી, આત્મા અને દ્રવ્યનું, તેમજ અહિંસા અને અપરિગ્રહનાં સર્વ લક્ષણાનું સાચું જ્ઞાન ધરાવતી, અને તપશ્ચર્યા તેમજ કષ્ટમય જીવન માટે તત્પર વ્યક્તિ જ સફળ સાધુ બની થકે. સાધુજીવન ત્યાગમય જીવન છે. નગ્નતાને કારણે, ખુલ્લી જમીન પર ખુલ્લે પગે ચાલવાને અને સૂવાને કારણે તેમાં બધી જ પીડા સહેવી પડે છે, દિવસમાં એક જ વખત નિયત કરેલા જ આહાર લેવા પડે છે, આખા સમય સ્વાધ્યાય, ઉપદેશ અને ધ્યાનમાં જ ગાળવા પડે છે. નીતિશાસ્ત્રની પરિપૂર્ણતામાં અને સાધુજીવનની આધ્યાત્મિક આવશ્યકતામાં જ મેાક્ષ સમાયું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy