SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ ખોટા ધર્મસિદ્ધાંતોનો નિર્દેશ કરે છે. આવા ખોટા સિદ્ધાંતો શ્રેતાઓનું કોઈ કલ્યાણ કરતા નથી. તેમણે પ્રતિપાદિત કરેલી કોઈ વસ્તુ મોક્ષને માર્ગ બતાવતી નથી. તેમની વાતો કેવળ આડંબરયુક્ત હોય છે અને અનુયાયીઓની આધ્યાત્મિક પ્રગતિ કરે તેવું તેમાં કશું હોતું નથી. તેમણે “નિગ્રંથ' શબ્દ સમજાવ્યો છે. મિથ્યાત્વની વૃદ્ધિ કરે એવા સાંસારિક જીવનના વિચારોને ગ્રંથિ કહે છે. આવા વિચારોને જેણે પિતાના મનમાંથી સંપૂર્ણ રીતે બહાર કાઢી નાંખ્યા છે તેને “નિગ્રંથ' કહેવાય છે. “નિગ્રંથે' પાંચ પ્રકારના આચાર પાળવાના છે: દર્શનાચાર, જ્ઞાનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર. પિતાના શિષ્યોને પણ તે આ આચારોને અનુસરવા માટે સમજાવે છે. કમબદ્ધ, સતત અધ્યાપન દ્વારા તે ધર્મગ્રંથ પર પ્રભુત્વ મેળવે છે અને નીચેના દશ વિશિષ્ટ ગુણો ધરાવે છે. બીજાનું ભલું કરવામાં અને નિશ્ચયનય તેમજ વ્યવહારનય અનુસાર સિદ્ધાંતોનું પ્રતિપાદન કરવામાં તે સતત મશગુલ રહે છે. આશાધરે નીચે પ્રમાણેના દશ ગુણો ગણાવ્યા છે: (૧) તેણે (નિર્ગથે) ત્રણ ગુપ્તિ અને પાંચ સમિતિનું પાલન કરવાનું હોય છે. મન, વચન અને કર્મ પર અંકુશ તે ગુપ્તિ અને પાંચ પ્રકારની કાળજીભરી વર્તણૂક તે સમિતિ-ચાલેલે માર્ગે ચાલવામાં, મૃદુ ભાષણમાં, ભિક્ષા માંગવાના ૪૨ દોષોને પરિહાર કરવામાં, જમીન પર વસ્તુઓ લેવામૂકવામાં અને મળમૂત્રના વિસર્જનમાં કાળજી તે સમિતિ છે. | (૨) ચાર પ્રકારના ધર્મગ્રંથનું (આમ્નાય) નું અધ્યયન અને સ્મરણ કરવાનું હોય છે: ૧) પ્રથમાનુયોગ (૨) રખાનુયોગ (૩) વાળાનુયોગ (૪) દ્રવ્યાનુયોગ પ્રથમાનુગમાં મહાપુરાણ, હરિવંશપુરાણ, પદ્મપુરાણ વગેરે ટોસઠ મહાપુરુષોના જીવનનું નિરૂપણ કરતા અને માનવજીવન તેમ જ મોક્ષમાર્ગનાં ઉદાહરણો આપતા ધર્મગ્રંથો આવી જાય છે. કરણાનુયોગમાં વિશ્વ, લોક, તેમજ અલોક એટલે કે ઉપરનું જગત, વગેરેની વિસ્તૃત ચર્ચા કરતા ધર્મગ્રંથે આવી જાય છે. ત્રિવાર અને ઉતજોયાત્તિ વગેરે ગ્રંથો આ વિષય અને પુનર્જન્મ તેમજ ચાર પ્રકારની ગતિના જન્મની અનિશ્ચિતતા વગેરેનું નિરૂપણ કરે છે. ચરણાનુયોગ ચારિત્ર્યના સ્વરૂપ, વિકાસ અને પૂર્ણત્વનું નિરૂપણ કરે છે. આ વિષયો મૂકાવાર, રત્નારશ્રાવાવાર, પુરુષાર્થસિદ્ધશુપાય જેવા ગ્રંથમાં વર્ણવાયા છે. છેલ્લું દ્રવ્યાનુયોગ, જીવનના સિદ્ધાંતને સ્પષ્ટ રીતે સમજવા માટે ખાસ જરૂરી એવાં છ દ્રવ્યો અને નવ પદાર્થો, જે જૈનધર્મના તત્ત્વમીમાંસાના આખા ક્ષેત્રમાં છવાએલાં છે તેનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy