SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૫ ડંખ પણ લાગે છે. સાધુના જીવનમાં આ બધું સ્વાભાવિક હેવાથી સહન કરવું જ પડે છે. ભ્રમણ દરમ્યાન લોકો તરફથી ધિક્કાર, ઉપહાસ, ક્રોધ પણ મળે છે કારણ કે શહેર કે ગામના રસ્તા ઉપર નગ્ન સાધુ ફરે તે લોકોને પસંદ હતું નથી. કેટલીક વખત સાધુને મારવામાં આવે છે અને તેના તરફ પત્થર ફેંકવામાં આવે છે. આવું કરનારાઓના દોષ જોવાને બદલે, આ બધું પૂર્વજન્મનાં કર્મોને કારણે છે એમ માનીને તેણે સહન કરી લેવાનું હોય છે. ભિક્ષા નિયમ અનુસાર જ માંગવાની હોય છે. ભિક્ષા ન મળે તે આજીજી કરવાની નથી કે દયા કરવાનું પણ કહેવાનું નથી. તેણે માત્ર પરિણામ સહેવાનું હોય છે. માણસ હોવાથી તેને રોગ થાય કે બિમારી પણ આવે. ભટકતાં ભટકતાં કાંટા કે કાંકરા વાગે તે તેણે તે પણ સહન કરવાના છે. દેહ તરફ તેને પ્રેમ કે આસક્તિ હોવાં ન ઘટે તેથી તેણે આ બધા સંતાપ સહેવાના હોય છે. તેણે કદી સ્નાન કરવાનું હોતું નથી, માત્ર મયૂરપિચ્છના રજોણા વડે ધૂળ હોય તો તેને ખંખેરી કાઢવાની હોય છે. તેનો મુખ્ય હેતુ જીવને શુદ્ધ રાખવાનો અને મનને દરેક પ્રકારનાં દૂષણથી મુક્ત રાખવાનો હોય છે. પ્રશંસા કે અવજ્ઞા તરફ તે ઉદાસીન છે. સ્વાગતથી અંજાઈને ફલાઈ નથી જતે તેમ લોકોની ઉદાસીનતાથી તે નિરાશ નથી થતા. પિતાનાં જ્ઞાનનું તેને અભિમાન નથી હોતું તો અજ્ઞાનથી તેને નાસીપાસી ઉપજતી નથી. તેનું આખું જીવન મોક્ષમાર્ગની યાત્રા છે. તે ધર્મગ્રંથોનું અધ્યયન કરે છે, ઉપદેશ આપે છે, સ્વપરીક્ષણ કરે છે, પિતાની ભૂલને તે પશ્ચાત્તાપ કરે છે. તે સંપૂર્ણ નિરાસત જીવન ગાળે છે અને જીવની આધ્યાત્મિક પ્રગતિ માટે જ ઉત્સુક હોય છે. શાંતિથી બધાં વિદને દૂર કરી, સાંસારિક બનાવો પ્રત્યે ભવ્ય ઉદાસીનતા દાખવી, નવાં કર્મોને થંભાવવાના એક માત્ર આશયથી તે આગળ વધ્યે જાય છે અને જનાં કર્મોનો વિનાશ કરવા પ્રયાસ કરે છે. ટૂંકી દૃષ્ટિના ખ્યાલો રાખી તે જીવનાં પૂર્ણ સ્વરૂપ પરની શ્રદ્ધા ડગમગવા દેતો નથી અને શાંતિપૂર્વક, પ્રસન્નતાપૂર્વક બધાં સંકટો સહો જાય છે અને આત્મસાક્ષાત્કારની ઉચ્ચ અવસ્થાએ પહોંચવા મથે છે. સંયમ અને આત્મજ્ઞાનથી જીવની શુદ્ધિ અને મનનાં સમત્વને તે કોઈ રીતે ક્ષુબ્ધ થવા દેતો નથી. સંતાપે તેના અંકુશ બહાર છે અને જીવની શુદ્ધિની પ્રક્રિયામાં તેમને સહન કરવાના જ છે. પિતાના સરઘર્ષ' નામના પુસ્તકમાં આશાધરે સાધુના ધર્મો વિષે નિર્દેશ કર્યો છે. તેમણે એવો નિર્દેશ કર્યો છે કે કળિયુગમાં ઘણા સાધુઓ ઘણા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy