SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ આદેશ જોવા મળે છે. પણ ટીકાકારોનું કહેવું છે કે એ જિનકલ્પી સાધુઓ માટે જ છે. શ્વેતાંબર ગ્રંથમાં નગ્નતા વિશેના નિર્દેશો હોવા છતાં વસ્ત્ર અંગેના નિયમ પણ જણાય છે પણ તેમણે તેમને બહુ મહત્ત્વ આપવાનું હોતું નથી.” આવું કહેતાં ધર્મગ્રંથોના આધારને સોગનીએ ઉલ્લેખ કર્યો છે. સંતપુરુષે સ્નાન કરવાનું હેતું નથી તેમ દાંત પણ સાફ કરવાના નથી. એણે દિવસમાં એક જ વખત, ઊભા રહીને અને તેમાં પણ ખોબામાં ભેજન લઈને જ ખાવાનું હોય છે. તેણે પિતાના કેશ પિતાને હાથે કાઢવાના હોય છે. શ્વેતાંબર સાધુ ભેજન માટે પાત્ર રાખે છે અને સૂવા માટે પાટિયું રાખે છે. સંપ્રદાય અને સ્થળ પ્રમાણે ભોજન લેવા અને ખાવાની રીતે ભિન્ન ભિન્ન હોય છે. આ મૂળ ગુણોના આચરણ ઉપરાંત ભ્રમણ કરતા સાધુને જે સંતાપ વેઠવા પડે તે બધા તેણે ધીરજપૂર્વક વેઠવાના હોય છે. આ સંતાપો વેઠવાથી કર્મોને અટકાવવામાં તે ચલાયમાન થતો નથી અને કર્મોને નાશ કરવામાં સમર્થ બને છે. આ સંતાપ અથવા પરિસહ બાવીસ છે: (૧) ઘા (૨) fugir (૩) તિ (૪) ૩૦મી (૫) વંશમશ (મચ્છર વગેરેના દંશ) (૬) ના (૭) અરતિ (૮) સ્ત્રી (૯) વય (ભ્રમણને કારણે લાગેલ થાક) (૧૦) નિષદ્યા -(ચાલુ બેસવાને કારણે થતી અસુવિધા) (૧૧) શા (સુવામાં પડતી અગવડ) (૧૨) મા (નિદા અને ઠપકો) (૧૩) aધ (ઈજા) (૧૪) વાવ (ભિક્ષા) (૧૫) કામ (ખાવાનું મેળવવામાં નિષ્ફળતા) (૧૬) રોગ (૧૭) તૃણાસ્પર્શ (ઘાસની અણી ભોંકવી) (૧૮) મેરુ (૧૯) સાર અને માન (સત્કાર અને પુરસ્કાર) (૨૦) જ્ઞાન (બુદ્ધિનું જ્ઞાન) (૨૧) અજ્ઞાન (અજ્ઞાન હોવાનું ભાન) (૨૨) ગર્શન—(શ્રદ્ધાને અભાવ.) પ્રથમ પાંચ પરિસોને સમજાવવાની કોઈ જરૂર નથી કારણકે તેમને અર્થ સ્પષ્ટ છે. નગ્નતાનાં વ્રતનાં મહત્ત્વથી અજાણ લોકો નગ્નતાને ચલાવી લેતા નથી. સાધુએ બીજા લોકોના ઉપહાસ અને ગાળોના ભોગ બનવું પડે છે. સુખ અને દુઃખ પ્રત્યે તે ઉદાસીન હોય છે. બધા પ્રકારોના વિષયોપભેગમાંથી વિરકત થવાને કારણે અસંતોષને તે જીતી લે છે. સુંદર, આકર્ષક સ્ત્રીઓને જોવાથી થતા ઉત્તેજક કે ઉશ્કેરાટભર્યા તમામ વિચારોને તેણે જીતી લેવા પડે છે. એક સ્થળેથી બીજા સ્થળે ચાલતાં જઈને દુઃખ અને અગવડ સહન કરવો પડે છે. સતત રખડપટ્ટીની બધી અસર તેણે સહન કરવી પડે છે. એકની એક સ્થિતિમાં બેસી રહેવાનું હોય તેને કારણે કષ્ટ પડે છે. આવી જ રીતે હલનચલન કર્યા વગર સખત ભૂમિ પર સૂવું પડે છે અને કેટલીક વખત તે જીવજંતુઓના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy