SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૩ અશુધ્ધિઓનો ક્ષય કરી, જીવનું ચિંતન કરવામાં અને જીવના ગુણો પર ધ્યાન એકાગ્ર કરવામાં રહેલું છે. સંત પુરૂષે ક્રોધને ક્ષમાથી, અભિમાનને નમ્રતાથી, માયાને ઋજુતાથી અને લોભને સંતોષથી જીતવાં જોઈએ. દોષરહિત તપશ્ચર્યા પણ પ્રાયશ્ચિત્તનું જ એક અંગ છે. પ્રાયશ્ચિત્તને મુખ્ય હેતુ, બધાં વ્રતનાં પાલનમાં રહી ગએલા દોષોને ક્ષીણ કરવાને કે દોષનું નિવારણ કરવાનો છે કારણ કે એમ કરવાથી જ જીવને દૂષિત કરનારાં ચારિત્રમેહનીય કર્મોનો ક્ષય થાય છે. સાધુએ ગુરૂ પાસે જવું જોઈએ, અને નિખાલસભાવે પિતાનાં પાપ અને અતિચારોને એકરાર કરવો જોઈએ. પૂર્વે કરેલાં પાપ માટે ગુરુ જે કાંઈ શિક્ષા ફરમાવે તે સહર્ષ સ્વીકારી લેવી જોઈએ. કાયોત્સર્ગ એટલે નિશ્ચિત સમય માટે દેહ તરફ બાહ્ય અનાસક્તિ. કાયોત્સર્ગ વખતે શરીરનાં અંગોની કોઈ પણ હિલચાલ ન થવી જોઈએ. વિશુધ્ધ વિચાર ધરાવતી વ્યકિત નિદ્રા પર વિજય મેળવે છે. ધર્મગ્રંથોને તેને સારો અભ્યાસ હોય છે અને તે શારીરિક અને માનસિક કાર્યક્ષમતા ધરાવે છે. આવી વ્યકિત કાયોત્સર્ગ કરે છે જે આધ્યાત્મિક પંથમાં હિતકારક નીવડે છે. સામાયિકનિગ્રહ માટેનાં વ્રતમાંનું આ એક વ્રત છે અને તેનું આચરણ રોજ કરવું જોઈએ. દિવસના નિશ્ચિત કલાક એટલે કે સવારે, બપોરે અને સાંજે સંતપુરુષે આધ્યાત્મિક પ્રગતિ માટે જીવનું ધ્યાન ધરવાનું હોય છે. આ ધ્યાન એટલે જીવનમાં કે મૃત્યુમાં, લાભમાં કે ગેરલાભમાં, સુખદ કે દુ:ખદ પ્રસંગમાં, મિત્ર પ્રત્યે કે શત્રુ પ્રત્યે, સુખ કે દુઃખ પ્રત્યે પ્રસન્ન અને અવિચળ મન સ્થિતિ સતત જાળવી રાખવી. ગૃહસ્થના જીવનમાં દિનચર્યામાં સામાયિકનું સ્થાન હોય છે, પરંતુ સાધુ માટે તો બીજી બધી તપશ્ચર્યાઓનું પૂરક હોવાથી સામાયિકનું મૂલ્ય ઘણું મોટું છે. દરેક પ્રકારના અનિષ્ટ વિચારોથી તે તેને દૂર રાખે છે અને તેના મનની શાંતિમાં વૃદ્ધિ કરે છે. મનની શાંતિ દઢ સાધનાનું પીઠબળ છે. પરમભક્તિ – સ્તુતિ અને વંદનાનું મિશ્રણ છે. આમાં સાધુએ જિનેનાં આધ્યાત્મિક લક્ષણોની ભક્તિ કરવાની છે. નમસ્કાર કરીને તે સાથે જ તેના ગુણોની પ્રાર્થના કરવાની છે જેથી જીવના ગુણની સમજ વધુ સ્પષ્ટ થતી જાય અને પોતાનું જીવન વધારે આધ્યાત્મિક થતું જાય. સાધુ હવે વધુ આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરે છે અને એનું આચરણ વધુ મનોનિગ્રહભર્યું બને છે. બીજા મૂળગુણો કેટલાક બાહ્ય નિયમનાં પાલનમાં આવી જાય છે. નગ્નતા દિગંબર સાધુઓનાં ઘણાં લક્ષણોમાંનું એક છે. શ્વેતાંબર ગ્રંથોમાં પણ નગ્નતાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy