SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ અને ક્રોધ, આસકિત જેવા દુષ્ટ વિચારોની પ્રવૃત્તિઓમાંથી મુક્ત થઈને પોતાના જીવનાં સ્વરૂપ પર ધ્યાન ધરવાનું છે. આને કારણે અશુધ્ધ વિચારપ્રવૃત્તિઓનું પુનરાવર્તન થતું અટકે છે અને ચારિત્રના નિયમને અતિચાર થતો અટકે છે. બધા મિથ્યા માર્ગો દૂર કરી, જિનેએ દર્શાવેલા માર્ગે તેને ચાલવાનું છે. દેહ, વાણી અને વિચારને સંયમ કેવી રીતે રાખવો તે તે શીખવે છે. દુ:ખભરેલી અનિષ્ટ પ્રવૃત્તિઓ છોડી તેણે મારા ધર્મમાર્ગ જ સ્વીકારવાનું છે. આમ સર્વ અનિષ્ટ વિચારોનો ત્યાગ કરી તે સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર પ્રાપ્ત કરે છે. જીવની શ્રેષ્ઠતા તે જાણે છે અને આત્મા પર તે એકાગ્ર થઈ જાય છે. દિવસ દરમ્યાન કરેલી ભૂલો અને ચારિત્રના નિયમના અતિચારોનો તે ફરી વિચાર કરે છે અને શુધ્ધ વિચારપ્રવૃત્તિઓને શુધ્ધ જીવના સાક્ષાત્કાર પર એકાગ્ર કરે છે. ૨. પ્રત્યાખ્યાન એટલે બધા સાંસારિક વિષયોનો ત્યાગ. સર્વ કષાયોમાંથી પોતાની જાતને મુક્ત કરી, બધાં પ્રલોભનોનો સામનો કરી, પુનર્જન્મના કારણરૂપ સર્વ અશુભ વિચારોથી સાધુ દૂર રહે છે. અનિષ્ટકર્મોના પરિવાર માટે દઢ નિશ્ચય આમાં દેખાઈ આવે છે. સાચા ત્યાગમાં પિતાની સ્વાભાવિક શુધ્ધિમાં જ જીવ આશ્રય લે છે અને પિતાથી અસંબધ્ધ એવો એક પણ વિચાર તેને પીડતો નથી. આ જાતના ત્યાગમાં પોતે સર્વજ્ઞ, સર્વસત્તાધીશ અને પરમ આનંદમય છે એવો સાક્ષાત્કાર થાય છે. તે પોતે મૂર્તિમાન ચૈતન્ય બને છે. ૩. આલોચના એટલે કબૂલાત. બધાં કર્મો અને નો-કર્મથી મુક્ત થઈ ગયેલા જીવને સાક્ષાત્કાર, તેમજ જીવ, સાંસારિક દશામાં જીવ સાથે સંબંધ રાખતા અસ્વાભાવિક ગુણ અને રૂપાંતરથી મુક્ત છે એવી જાતનું ધ્યાન તે આલેચના. આલેચના ચાર પ્રકારની હોય છે : સાવના, સાસુવના, વિતરણ અને માવશુfધ. આલોચના એટલે જીવના સાક્ષાત્કાર માટે જરૂરી સમત્વ પ્રાપ્ત કરવું. આલુચના એટલે બધાં કર્મોને નાશ કરવાની શકિત મેળવવી. સમસ્ત કર્મોનો ક્ષય કરી, જીવના ગુણોની અને સમત્વની પ્રાપ્તિ કરી, જે જીવન સાક્ષાત્કાર કરે છે તેને અવિકૃતિકરણ કરે છે એવું કહેવાય છે. વાસના, માન, કપટ અને લોભને વિજય કરી, વિચારની શુધ્ધિ પ્રાપ્ત કર્યાથી ભાવશુધ્ધિ થાય. આ ચારની કબૂલાત દ્વારા સંત ખરી આધ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્ત કરી શકે છે અને કર્મનાં બંધનોથી મુકત થઈ શકે છે. પાંચ વ્રત, પાંચ પ્રકારની સમિતિઓ અને ઇન્દ્રિયનિગ્રહ તેમજ ગુપ્તિનાં પાલનમાં પ્રાયશ્ચિત્ત આવી જાય છે, પરંતુ ખરૂં પ્રાયશ્ચિત્ત મનની સઘળી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy