SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૧ જોઈએ. શરીરના ઉપયોગમાં ઊભા થતાં, ફરતાં, સૂતાં તેણે કાળજી રાખવી જોઈએ જેથી બીજાં પ્રાણીને દુ:ખ ન પહોંચે કે તેમને નાશ ન થાય. દુષ્ટ કાર્ય, વિચાર કે દેહપ્રવૃત્તિને કોઈ અવકાશ ન હોવો જોઈએ કારણ કે સાધુની પ્રવૃત્તિઓ પિતાનાં તેમજ બીજાના ભલા માટે હેવી જોઈએ. હવે આપણે સ્પર્શ, સ્વાદ, દાણ, દર્શન અને શ્રવણની પાંચ ઇન્દ્રિયોના સંયમની વાત કરીએ. જીવ અને ઇન્દ્રિયોની માંગણીઓ વચ્ચે સનાતન સંઘર્ષ ચાલ્યો આવે છે. જો આપણે ઇન્દ્રિય આગળ નમતું જોખીએ તો પુનર્જન્મને નોંતરીએ છીએ અને જો જીવ આગળ નમતું જોખીએ તે મુકિત તરફ પ્રયાણ કરીએ છીએ. યોગીન્દુદેવે એક કે બીજી ઇન્દ્રિય પાસેનો પરાભવ કેવો વિનાશક નીવડે છે તે ઉદાહરણે સાથે અસરકારક રીતે સમજાવ્યું છે. દીવાના પ્રકાશનાં સૌન્દર્યથી આકર્ષાએલું સુંદર પતંગિયું દીપકને ભેટીને મૃત્યુ પામે છે. શિકારીએ યોજેલા ધ્વનિથી આકર્ષાએલું હરણ શિકારીના બાણનો ભોગ બની મૃત્યુ પામે છે. શીતળ સ્પર્શની ઇચ્છા રાખતે હાથી તળાવમાં પડે છે અને બંધનમાં જકડાય છે. કમળની સુગંધથી આકર્ષાએલો ભ્રમર તેમાં કેદ પકડાય છે, અને સૂર્યાસ્ત સમયે કમળ બિડાય ત્યારે મૃત્યુ પામે છે. માછીમારે ફેકેલાં સ્વાદિષ્ટ પ્રલોભન તરફ ખેંચાએલી માછલી ખેરાકને ખેંચવા પ્રયત્ન કરે છે. આમ જુદી જુદી ઇન્દ્રિયો આત્મનિગ્રહથી વશ ન કરવામાં આવે તે માણસને મૃત્યુદાંટ વાગે મોક્ષની કોઈ આશા રહે નહીં. આથી જ સાધુએ પિતાની ઇન્દ્રિયો પર પૂરો કાબુ ધરાવવો જોઈએ. ઇન્દ્રિયોના પ્રલોભનોને વશ થવું ન જોઈએ કારણ કે એ જાણે છે કે એની એક પણ ઇન્દ્રિય જીવને મોક્ષ આપવાની નથી. સૌન્દર્ય, સંગીતધ્વનિ, સુગંધ, કે મૃદુ સ્પર્શ તેની તપશ્ચર્યા પર પ્રાધાન્ય મેળવે તે યોગ્ય નથી કારણ કે તે બધા પુદ્ગલો છે. છ આવશ્યકોનું અથવા તે જીવના આધ્યાત્મિક કલ્યાણ માટેની મહત્ત્વની ફરજોનું દરરોજ, ભૂલ્યા વિના પાલન થવું જોઈએ. તેઓ સાધુને એના જીવનધ્યેયની યાદ આપતા રહે છે અને જીવને શુદ્ધ કરે છે. કુન્દકુન્દ આચાર્યું ‘નિયમસાર” માં તેમને આ પ્રમાણે ગણાવ્યાં છે : પ્રતિમા, પ્રત્યાઘાન, आलोचना, कायोत्सर्ग, सामायिक अने परम भक्ति. ૧. પ્રતિક્રમણ એટલે પસ્તાવો. પિતાની જાતનું પૃથક્કરણ અથવા અંતનિરીક્ષણ મનનાં સમત્વ અને સમ્યક ચારિત્ર માટે જરૂરી છે. આ પછી પ્રતિક્રમણ કરવાનું હોય છે એટલે કે શાંતિમાં, વાણીની પ્રવૃત્તિઓથી મુક્ત રહીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy