SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ સમિતિઓના પાલનથી પ્રવૃત્તિઓનું કાળજીપૂર્વક નિયમન થાય છે, અને પ્રાણીઓની હિંસાનો પરિહાર થાય છે. આત્મનિગ્રહી સાધુનું ચાલવાનું ચાર પ્રકારે શુદ્ધ હોવું જોઈએ—કારણમાં, સમયમાં, માર્ગમાં અને પ્રયત્નમાં. જ્ઞાન, દર્શન અને ચારિત્ર્ય તે કારણ છે. ચાલવાની પાછળ હેતુ હોવો જોઈએ, અને રત્નત્રયની પ્રાપ્તિને અનુરૂપ હેય એવી જ દષ્ટિએ ચાલવાની પ્રવૃત્તિ થયેલી હોવી જોઈએ. સાધુ નિરૂદ્દેશ કે બેદરકારીપૂર્વક નહીં ચાલે. એના ચાલવાને સમય દિવસ દરમ્યાન જ હોવો જોઈએ. એ જે રસ્તો પસંદ કરે છે તે રસ્તે ઘણા જણાં ગયાં હોવાં જોઈએ. એ રર ઘાસ અને બીજી વનસ્પતિથી ભરેલો ખરાબ રસ્તો ન હોવું જોઈએ. પ્રયત્ન ચાલે ત્યાં સુધી સાધુએ ચાર હાથ આગળ જોતાં જવું જોઈએ. ચાલવા પર ધ્યાન એકાગ્ર કરતાં તેણે ક્રોધ, માન, કપટ, લોભ, હાસ્ય, ભય અને નિદાન પરિહાર કરવાનું છે. તેની વાણી દોષરહિત અને સંક્ષિપ્ત હોવી જોઈએ. ભિક્ષા માટે તે બહાર જાય ત્યારે ભેજન, પોતાના ઉપયોગની ચીજો તેમજ ઉતારો માંગવામાં અને લેવામાં દોષને પરિહાર કરવો જોઈએ. ભજન અંગેને દોષ એટલે માત્ર સાધુને માટે જ રંધાએલું ભોજન, અશુદ્ધ ભજન, ઉત્સવ માટે તૈયાર કરેલું ભજન અને લાવવામાં દીવાને ઉપયોગ થયો હોય તેવું ભોજન સ્વીકારવું. મળમૂત્ર માટેની જગ્યા પસંદ કરવામાં એવી જગ્યાને પસંદગી આપવી જોઈએ જ્યાં ઘણા લોકોની અવરજવર ન હોય અથવા જ્યાં ઘણા લોકો દેખી ન શકે. એ જગ્યા તેના સંયમમાં વિદનરૂપ ન હોવી જોઈએ, ઘાસ કે પાંદડાંથી છવાએલી ન હોવી જોઈએ, અને જીવજંતુ કે બી વગરની, વિશાળ જમીન હોવી જોઈએ. આ પરથી સ્પષ્ટ થશે કે સમિતિ એટલે દરેક પ્રકારની હિલચાલમાં કાળજી અને નિયમન રાખવાં જેથી બીજા જીવોને હિંસા ન પહોંચે. દરેક પ્રકારની પ્રવૃત્તિનું દમન કરતે સંયમ તે ગુપ્તિ એવી વ્યાખ્યા આપવામાં આવી છે. (સગણોનિપટ્ટઃ શુદ્ધિ:). ગુપ્તિ ત્રણ પ્રકારની છે : મનોકુતિ, વાસુતિ અને રાયપુતિ. વિષપભેગના વનમાં મનને ભટકતું અટકાવવા માટે સંયમ તે મને ગુતિ. સાધુએ મનને સંયમમાં રાખવું જોઈએ, અને બીજાં પ્રાણીઓને દુર્ભાગ્ય પ્રાપ્ત થાય કે તેમનો વિનાશ થાય એવા વિચારો ન કરવા જોઈએ. બીજી ગુપ્તિ જુઠું બોલવામાંથી કે મિશ્ર જુઠાણાંમાંથી વાણીને સંયત કરવાનું કહે છે. સાધુએ દુષ્ટ ભાષા કે બીજાને નુકસાન થાય તેવી ભાષા ન વાપરવી જોઈએ. તેણે શાંતિ રાખવી જોઈએ, અને બીજાનું ભૂંડું ન બોલવું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy