SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૯ રાખવાની છે. સત્યનું વ્રત તેને ક્રોધ, લોભ, ભય અને મોહમાંથી મુક્ત કરે છે. આથી તે જે કાંઈ બોલે છે તેમાં કોઈ પણ પ્રકારની અશુદ્ધિની છાંટ સરખી પણ હોતી નથી. અસ્તેયવ્રત માત્ર ન અપાયેલી વસ્તુને ન લેવામાં જ નથી પણ ભિક્ષા માંગવામાં, અત્યંત શુદ્ધ ખાવાપીવાનું સ્વીકારવામાં, પિતાને જોઈએ તે કરતાં ઓછું લેવામાં અને વન કે એકાંત સ્થળે નિવાસ કરવામાં જાતે જ નિયંત્રણ મૂકવામાં છે. બ્રહ્મચર્યવ્રત મૈથુનના પરિવારમાં પૂરું નથી થઈ જતું. સ્ત્રી કે આવેગોને વિચાર સરખે નથી કરવાનો. વૃત્તિઓને ઉશ્કેરે એવો કોઈ આહાર પણ હવે કરવાનો નથી. સ્ત્રીને વિચાર નથી કરવાનો તેમ વાત કે ચેષ્ટા દ્વારા પોતાનામાં કે સ્ત્રીમાં વાસનાને ઉદ્ભવ થાય તે માટે કારણરૂપ પણ નથી થવાનું ભૂતકાળમાં કરેલાં મૈથુનની સ્મૃતિ થવા દેવાની નથી. માત્ર બાહ્ય વસ્તુઓ કે સંપત્તિ માટેની અનાસકિતમાં અપરિગ્રહ નથી પણ શરીર કે તેની જરૂરિયાતો પ્રત્યે પણ અનાસકિત દાખવવામાં છે. પોતાની ઇચ્છાઓનો નાશ કરવાનો છે. દેહને, ધર્મના આચરણ કે રત્નત્રયના સાક્ષાત્કાર માટેના ઉપકરણથી વધુ મહત્વ આપવાનું નથી. ગૃહસ્થમાંથી સાધુ બનેલી વ્યકિતને હવે ત્રણ જ વસ્તુઓ સાથે રાખવાની પરવાનગી છે. પુસ્તક (જ્ઞાનોપnfઘ). મયૂરપિચ્છનો રજોણે (સંભોપાલ) અને સામાન્ય રીતે લાકડાંનું જળપાત્ર (શવધિ). તે માટે પણ તેને આકર્ષણ નથી હતું. ટૂંકમાં, જડ તેમજ ચેતન સર્વ પદાર્થો પ્રત્યે તેણે સંપૂર્ણ અને સાચું અનાસક્તિનું વલણ દાખવવાનું છે. પાંચ અદ્યતની ચર્ચા કરતાં જેનાં પૂર્ણ અને વ્યાપક વિસ્તારનું સૂચન કર્યું હતું, તે પાંચ મહાવ્રત ઉપરાંત–પાંચ સમિતિનું પણ તેણે પાલન કરવાનું હોય છે. આની પાછળનો ઉદ્દેશ, મન અને ચારિત્રને એવી રીતે કેળવવાનો છે જેથી તેઓ બીજાં વ્રતને અનુરૂપ થઈ રહે. તે વ્રતે આ પ્રમાણે છે: સમિતિ–મનુષ્યો, જાનવરો અને ગાડાંઓએ ખેડેલા માર્ગે જવું. ચાલતાં ચાલતાં જમીનને કાળજીપૂર્વક જોતાં જવું જેથી કોઈ જીવની હત્યા ન થાય. માણાસમિતિમૃદુ, સન્માનસૂચક, મધુર ધાર્મિક વાણી ઉચ્ચારવી. પુષriનિતિ - ૪૨ દેશોનો પરિહાર થાય તે રીતે ભિક્ષા લેવી. આવીનસમિતિ - પૂરતી પરીક્ષા કર્યા પછી ધાર્મિક ક્રિયાઓમાં જરૂરી વસ્તુઓ લેવી કે મૂકવી. વત્સસમિતિ–મળમૂત્રના ઉત્સર્ગ માટે એકાંત જગ્યા પસંદ કરવી. યાકોબીએ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિને આઠ માતૃકાઓ કહી છે કારણ કે કષાયોના પરાભવ માટે અને આધ્યાત્મિક વિકાસ માટે અત્યંત મહત્ત્વનો સંયમ શીખવો તે તેમને ઉદ્દેશ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy