SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ કરવાનાં હોય છે. ૨૮ મૂળ ગુણ મેળવીને સાધુએ હવે તેમનું આચરણ કરવાનું હોય છે. એ ગુણ આ પ્રમાણે છે: પાંચ મહાવ્રત એટલે કે (૧) અહિંસા, (૨) સત્ય, (૩) અસ્તેય, (૪) બ્રહ્મચર્ય, (૫) અપરિગ્રહ. પાંચ સમિતિઓ(૬) ચાલવામાં કાળજી, (૭) બોલવામાં કાળજી, (૮) ભિક્ષા માંગવામાં કાળજી, (૯) વસ્તુઓ લેવામૂકવામાં કાળજી, (૧૦) મળમૂત્રના ઉત્સર્ગ માટે જગ્યા પસંદ કરવામાં કાળજી; આ ઉપરાંત તેણે (૧૧) સ્પર્શ, (૧૨) સ્વાદ, (૧૩) ઘાણ, (૧૪) દર્શન અને (૧૫) શ્રવણની ઇન્દ્રિયોને અંકુશમાં રાખવાની હોય છે. વળી તેણે છ મહત્ત્વનાં કર્તવ્યો કરવાનાં છે: (૧૬) પશ્ચાત્તાપ, (૧૭) ત્યાગ, (૧૮) કબૂલાત, (૧૯) પ્રાયશ્ચિત્ત, (૨૦) દેહ પ્રત્યે અનાસકિત, (૨૧) નિશ્ચિત સમય સુધીનું દૈનિક ધ્યાન. આ ઉપરાંત સાત બાહ્ય આચાર પણ કરવાના હોય છે. (૨૨) વખતોવખત પિતાને હાથે માથાના વાળ દૂર કરવા, (૨૩) નગ્નતા, (૨૪) સ્નાન ન કરવું, (૨૫) દાંત સાફ ન કરવા, (૨૬) ઊભા રહીને ન ખાવું, (૨૭) દિવસમાં એક વખત ખાવું, (૨૮) ખુલ્લી જમીન પર સૂવું. આ મૂળગુણોને ભંગ ન થાય તે માટે સાધુએ સાવચેતી રાખવાની હોય છે. જો એ ભંગ કરે, તો આચાર્ય પાસે જઇને પિતાને આ ભંગ કહી પાપ કબૂલ કરવાનું હોય છે અને ઉજજવળ ક્રમનો આરંભ કરવાનો હોય છે. પ્રમાદ પરમ શત્રુ છે તેથી સાધુ તેનાથી ખૂબ સાવધ રહે છે. તેને એક પણ આસક્તિ હોતી નથી; તે જગત અને તેનાં પ્રલોભનો પ્રત્યે તદ્દન ઉદાસીન હોય છે. તેની મીટ મોક્ષ પર મંડાઈ હોય છે તેથી તેણે સતત શુદ્ધ મનોવૃત્તિ જાળવવા અને દર્શન, જ્ઞાન અને ચારિત્ર્ય કેળવવા પ્રયાસ કરવાનો છે. તેણે પોતાના ઉપદેશો અને બીજી તમામ પ્રવૃત્તિઓ આધ્યાત્મિક પ્રગતિ તરફ વાળવાનાં છે. નિર્ગથ હોવાથી હવે એ વ્યવસાયી નથી. નિર્ગથ સાધુત્વ માટેની કઠોર તપશ્ચર્યા સ્ત્રીઓ માટે હોતી નથી કારણકે પ્રકૃતિથી તેઓ તેમ કરવા અસમર્થ છે. સ્ત્રીઓ સંઘમાં જોડાઈ શકે પણ તેમનાં વ્રત વધુ મૃદુ હોય છે અને બહુ કઠોર હેતાં નથી. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહનાં વ્રતનું પાલન ગૃહસ્થ નાના પાયા પર કરે છે. હવે સાધુ તરીકે તેમનું સંપૂર્ણ પાલન કરવાનું છે. પાંચ અણુવ્રતની ચર્ચા વખતે જે અતિચાર આપણે જોયા હતા, તેમને હવે જરા પણ અવકાશ આપવાનો નથી. સ્થાવર કે જંગમ કોઈ પણ પ્રાણીને સાધુ દૈહિક હિંસા ન કરે તે હવે પૂરતું નથી. હવે આ વ્રતનું મન, વચન અને કર્મમાં પાલન કરવાનું છે. હરફરમાં, ખાવાપીવામાં અને વિચારમાં તેણે હવે સૌથી વધારે સાવધાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy