SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ અટકી શકે. જૈન ધર્મના બધા નીતિનિયમેાના ઉદ્દેશ, સમ્યક્ દર્શન અને સમ્યક્ જ્ઞાનની પ્રાપ્તિ માટે જાગૃતિ આણવાના છે. આવાં દર્શન અને જ્ઞાનની પ્રાપ્તિથી ચારિત્રમાં જીવનાં સ્વાભાવિક સૌન્દર્યના અને સત્યના અથવા તેનાં અંતર્ગત શુભત્વના આવિષ્કાર થાય છે. દશ ગુણા જીવનપંથને અજવાળતા, કદી ન બુઝાતા દીપક જેવા છે. તેમના આચરણથી દુષ્ટતાના બધા અંધકાર દૂર થાય છે અને જીવનપ્રવાસ સરળ બને છે. બધાં પ્રાણીઓને ક્ષમા આપે। અને તમને હંમેશાં ક્ષમા મળશે. નમ્ર બને, કારણ કે એનાથી નરી આંખે જે કાંઈ દેખાય તેનાથી વધુ દેખી શકાશે. સરળ બના તો કોઈથી ડરવાના અવકાશ નહીં રહે. મન અને વિચારની શુદ્ધિ જીવને જાગૃત રાખશે. સત્યનો હંમેશાં વિજય થશે. સંયમ અભેદ્ય કવચ છે. તપશ્ચર્યા આંતરિક બળ અને જ્ઞાનની આબાદ ચાવી છે. ત્યાગ અને અનાસક્તિ વ્યક્તિને પતનની ગર્તામાંથી ઉગારી લે છે. બ્રહ્મચર્ય, જીવને જાણવાની અને કષાયેામાંથી નીચી કક્ષાના જીવનની ખીણમાં ખેંચાતા અટકાવવા માટેની તીવ્ર તમન્ના છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy