SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૫૦ ૧૦, ઉત્તમ બ્રહ્મચર્ય પાંચ અણુવ્રતનું નિરૂપણ કરતાં આ વિષયની ચર્ચા થઈ ગઈ છે. એન્દ્રિય ઉપભેગેથી ગેરમાર્ગે દોરવાયા વિના આત્મા કે બ્રહ્મને સતત સાક્ષાત્કાર કરવો તે બ્રહ્મચર્ય છે. જાતીય સુખને આવેગ મનની સ્થિરતાનો નાશ કરે છે. કોઈ પણ પ્રકારને આવેગ આધ્યાત્મિક પ્રગતિ માટે ભયજનક છે. જાતીય સુખની ઝંખના, જો બેકાબુ બની જાય, તો દરેક પ્રકારનાં પાપને ઉત્પન્ન કરે છે. બીજા બધા દુર્ગુણોની જેમ તેનું આચરણ એકાંતમાં જ થાય છે. તેને છાવરી વાળવા નૈતિક અને કાનૂની દૃષ્ટિએ નિંદ્ય એવાં ઘણાં કાર્યોમાં પ્રવૃત્ત થવું પડે છે. પાપના જમાંથી છુટકારો મેળવવાનું એક માત્ર સાધન તે બ્રહ્મચર્યવ્રત. આ દશ શ્રેષ્ઠ સગુણો જૈન નીતિશાસ્ત્રનાં અંગ છે ઘણી વખત કહેવાય છે કે સગુણ તે પોતાને બદલે જ છે. એને અર્થ એટલો જ છે કે આવા ગુણ માટે કોઈ માન આપે કે ન આપે, તેને આચરવાથી અને તેને કેળવવાથી જીવ ઉન્નત થઈ, સામાજિક કલ્યાણમાં પિતાનું પ્રદાન કરશે. આ ગુણથી મનની દુષ્ટ વૃત્તિએ દબાઈ જાય છે અને વિનાશક કષાય પોતે જ વિનાશ પામે છે. જે વ્યકિતએ આવા ગુણો પ્રાપ્ત કર્યા હોય છે તે વ્યકિત જીવની આધ્યાત્મિક પ્રગતિનાં રૂપમાં પોતાને બદલે મેળવશે, અજ્ઞાન અને કાર્યોમાંથી મુક્ત થઈને સમ્યક્ દર્શનમાં દઢતા પ્રાપ્ત કરશે અને દુષ્ટતા પર વિજય મેળવશે. આ બધા ગુણો પ્રત્યેક જીવના સ્વાભાવિક લક્ષણો છે. જે સ્વાભાવિક છે તેને સમજવું જ જોઈએ અને તેને સાક્ષાત્કાર કરવો જ જોઈએ. જૈન નીતિશાસ્ત્રનો આ જ હેતુ છે. આ બધા નકારાત્મક કાનૂને નથી; છતાં પણ, જીવ અને સમાજને માટે જે કાંઈ દુષિત અને હાનિકારક છે તેને નિષેધ તેમનામાં આવી જ જાય છે. મનુષ્યની પ્રવૃત્તિની પ્રત્યેક બાજુને તેઓ આવરી લે છે અને તેનાં માર્ગદર્શન માટે અત્યંત વ્યવહારૂ નિયમો આપે છે. સાધુતા એટલે અનિષ્ટ ઉપર વિજય. આ વિચારના મૂળમાં એવી ભાવના છે કે વિશ્વ જીવ અને દ્રવ્યનું, તેમના સંયોગનું બનેલું છે. આ સંયોગો જુદાં જુદાં પ્રાણીઓનાં સ્વરૂપને ઉત્પન્ન કરે છે અને એમ આખી સૃષ્ટિ સર્જાય છે. જડ અને ચેતનનું એક બીજામાં રૂપાંતર થતું નથી. જીવ ચૈતન્યપૂર્ણ છે. કર્મબંધનમાંથી મુક્ત થઈને પૂર્ણત્વ પ્રાપ્ત કરવું તે જીવને માટે શકય છે. કર્મને નાશ થઈ શકે અને નવાં કમેને આસ્રવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy