SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ તપનું પાલન આધ્યાત્મિક બળ અથવા મહત્તાની પ્રાપ્તિ માટેનું પગથિયું છે. ઍન્દ્રિય ઉપભાગામાં આસકત જીવનમાંથી જીવને પાછે ખેંચી લેવાના છે અને લૌકિક પરિગ્રહાના લાભથી અલિપ્ત રહેવાનુ છે. આ અલિપ્તતા બાહ્ય અને આત્યંતર બંને રીતે પરિપૂર્ણ હોવી જોઈએ. કર્મોના ઉપશમથી જીવ કેટલેક અંશે પ્રગતિ ન કરે ત્યાં સુધી મનુષ્યજીવન જીવવા લાયક બનતું નથી. જીવનમાં સૌથી મુશ્કેલ કાર્ય માહમાંથી મુક્તિ મેળવવાનું છે. કષાયો જીવને વિકૃત કરતા હોવાથી તપશ્ચર્યા દ્વારા જ કષાયમુક્ત બની શકાય. તપશ્ચર્યાની પરાકાષ્ઠા પ્રાપ્ત કરીને જ મહાન જીવોએ નિર્વાણ પ્રાપ્ત કર્યું છે. દરેક વ્યક્તિએ પાતાનાથી બને તેટલું તપ કરવું જોઈએ અને આ તપ માનસિક અને આધ્યાત્મિક શકિત અનુસારનું હોવુ જોઈએ. જૈન ધર્મ તપશ્ચર્યાને સૌથી વધારે મહત્ત્વ આપે છે. બને તે જ સાચું તપ છે. તપથી જ કર્મના સંગ્રહનો ક્ષય તેમજ વિચારની શુદ્ધિ પ્રાપ્ત થાય છે. ૧૯૩ ૮. ઉત્તમ ત્યાગ આ ગુણ કેળવવા બહુ મુશ્કેલ છે. સામાન્ય રીતે સંપત્તિ, બળ અને પદવી પરથી મનુષ્યનું માપ કાઢવામાં આવે છે. સંપત્તિની પ્રાપ્તિનાં બધાં જ સ્વરૂપો, લાભના નહીં તે। ઝંખનાના સાથે તે ધરાવે જ છે. આ સદ્ગુણ કેળવવાની સૌથી પહેલી અવસ્થામાં કોઈ પણ વસ્તુની પ્રાપ્તિની વિરૂદ્ધ દૃઢ નિશ્ચય કેળવવાના હોય છે. દાન આપવાં અને સત્કૃત્યો કરવાં તે ત્યાગનું બીજું પગથિયું છે. જૈન ધર્મના નિયમ છે કે જેમને આહાર, ભાજન, આશ્રય, ઔષધ અને જ્ઞાનની જરૂર હોય, તેમને આ વસ્તુઓનાં દાન કરવાં. આ પ્રત્યેક ગૃહસ્થની ફરજ છે. પ્રત્યેક વ્યકિતએ આ સર્વ કે આમાંનાં કેટલાંક દાના કરવાં જ જોઈએ. દાન દેનારને આશિષ મળે છે અને દાન લેનારને સુવિધા થાય છે. જે પોતાના સમય સંગ્રહ કરવામાં જ ગાળે છે, તે કષાય, લેાભ અને ઝંખનામાં ડુબેલા જ રહેવાના. જીવના કે કર્મની જાળમાંથી જીવને મુકત કરવાના તેને કદી વિચાર નહીં આવવાનો. દાનના વિચાર સરખો પણ કર્યા વિના જે સતત લાભ જ રાખ્યાં કરે છે તે અશુભ કર્મના આાવને સંઘરે છે. Jain Education International જીવના ગુણા સમૃદ્ધ થાય છે અને મન કંજૂસ માણસ નિંદા અને તિરસ્કારને પાત્ર બને છે. દાની માણસ સમાજમાં સન્માન પામે છે અને સંતોષપૂર્ણ જીવન જીવવા સમર્થ થાય છે. કારણ જે.—૧૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy