SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ છે. સંયમ વગર દેહ અને બુદ્ધિ અલ્પતમ માત્રામાં પણ આધ્યાત્મિક પ્રગતિ નહીં કરી શકે. વિચાર અને મન પર પૂર્ણ અંકુશ મેળવ્યા વિના સાચે ત્યાગ સિદ્ધ ન થઈ શકે એ માનવું જ જોઈશે. તપશ્ચર્યા, ઉપવાસ, અને દેહકષ્ટ, આંતરિક શુદ્ધિ વિના નકામાં છે. સમ્યક દર્શન અને સમ્યક્ જ્ઞાનમાંથી ઉત્પન્ન થએલા સમ્યક ચારિત્રના સહકારથી જ અંતરીક્ષણ અને પશ્ચાત્તાપ, જીવને વિવિધ પ્રકારનાં કર્મોમાંથી મુક્ત થવા સહાયરૂપ નીવડશે. - ૭, ઉત્તમ તપ કર્યસંગ્રહના વિનાશ માટેની તપશ્ચર્યા તે તપ. બાહ્ય તપ બાર પ્રકારનું છે અને આત્યંતર તપ છ પ્રકારનું છે. ઉમાસ્વામીના મત પ્રમાણે બાહ્ય તપ આટલાં છે : ઉપવાસ, ઓછું ખાવું, ભિક્ષા પર નિયંત્રણ, સ્વાદિષ્ટ અને બળવર્ધક ભોજન કે વાનગીઓનો પરિહાર, એકાંતવાસ અને દેહદમન. ઉપવાસથી સંયમ મેળવાય છે અને કર્મ પ્રત્યેની આસક્તિને ક્ષય થાય છે તેથી જૈન ધર્મ ઉપવાસને ઘણું મહત્વ આપે છે. ઉપવાસ દરમ્યાન ધ્યાન, ધર્મગ્રંથોનું અધ્યયન અને આધ્યાત્મિક પ્રગતિ કરવાનાં હોય છે. ભોજન પર અંકુશ તંદુરસ્તી જાળવવા માટે સારો છે એટલું જ નહીં પણ તેનાથી સંયમ, સંતોષ અને સારી ટેવો કેળવાય છે. ભિક્ષા માંગવા માટે ઘરની સંખ્યા પર નિયંત્રણ માત્ર સાધુઓને માટે જ છે. સ્વાદિષ્ટ અને બળવર્ધક આહારનો પરિત્યાગ સંયમભર્યા શાંત જીવન માટે અત્યંત જરૂરી છે. ઇન્દ્રિયોના ઉશ્કેરાટનું તે દમન કરે છે અને જાતીય સંયમનાં પાલનમાં અનુકૂળ નીવડે છે. સાધુએ શાંત સ્થળની પસંદગી કરવાની છે જેથી તે બ્રહ્મચર્યનું પાલન કરી શકે, અધ્યયન કરી શકે અને ધ્યાન ધરી શકે છે. જીવ પર ધ્યાન એકાગ્ર કરીને આસક્તિ અને ઉપભેગોથી મુક્તિ પામવા માટે જેઓ તપ કરવા માંગતાં હોય, તેમને માટે દેહદમન જરૂરી હોય છે. પશ્ચાત્તાપ માન, સેવા, સ્વાધ્યાય, ત્યાગ અને ધ્યાન આંતરિક તપશ્ચર્યા છે અને તેમને હેતુ મનને કેળવવાને છે. પ્રમાદથી કે કષાયોથી પ્રભાવિત થઈને પૂર્વે કરેલાં પાપનો પસ્તાવો તે તપશ્ચર્યા. સંતે પ્રત્યે આદર અને તેમને ઉપયોગી થવાય તેવી સેવા, મનને શુદ્ધ કરવા માટેના મનોનિગ્રહો છે. ઉદ્યમપૂર્વક આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરવું તે બીજી આત્યંતર તપશ્ચર્યા છે. અહંકારને ભૂંસી નાંખવો તે ત્યાગ છે, જ્યારે જીવના સ્વરૂપ ઉપર બધા વિચારો એકાગ્ર કરવા તે ધ્યાન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy