SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ વિચાર, વાણી અને કાર્યમાં અંકુશ તે સંયમ. શુદ્ધ જીવનના અને ધર્મના તે પાયો છે. આત્મસંયમ પ્રાપ્ત કરવા દુર્લભ છે. તે ધર્મમાં શ્રદ્ધા માંગે છે અને તેમ નહીં તે નીતિમય આચરણની શ્રદ્ધા તા માંગે જ છે. આમાં જો સત્સંગ અને ઘરનાં અને નિકટનાં વર્તુળાની સુંદર નીતિમત્તાના ટેકો મળી જાય, તે આત્મસંયમની પ્રાપ્તિ સુગમ બને છે. આજે આપણે જોઈએ છીએ કે આપણે એવા સમાજમાં છીએ જ્યાં સર્વત્ર વિચાર અને આચરણનું શૈથિલ્ય પ્રવર્તે છે. જે કોઈ આત્મસંયમની હિમાયત કરે છે તે રૂઢિચુસ્ત કહેવાય છે અને ઉપહાસનું પાત્ર બને છે. એવું લાગે છે કે જીવનમૂલ્યા બદલાઈ રહ્યાં છે કારણ કે દરેકને મુક્ત જીવન ગમે છે. બીજાં લોકોનાં શાંતિમય જીવન પર અતિક્રમણ થતું અટકાવવા આત્મસંયમ જરૂરી છે, એવું ભારતીય સંસ્કૃતિ ભારપૂર્વક કહે છે તેની ના નથી. મુક્ત જીવન જીવવાની વૃત્તિ સમયસર અંકુશમાં ન આણવામાં આવે તો સુખ અને સ્થૂળ ઉપભાગના જીવન તરફ ખેંચાઈ જવાય છે. સંયમની કેળવણી અસંભવિત બને છે. ૧૯૧ આવા જીવનને આધીન થવાથી મનુષ્યત્વનું ગૌરવ અને મહત્ત્વ લુપ્ત થાય છે. આવેગભર્યા વિચારોથી મન ડહેાળાઈ જાય છે, અને પેાતાનું બળ ગુમાવી બેસે છે. પછી મનની સમતુલા અને વિશુદ્ધ વર્તાવ પુન: પ્રાપ્ત કરવાં અશકય બને છે. આવા સંજોગોના શિકાર બનેલી વ્યક્તિ પોતાનાં મનનું તેમજ અનિષ્ટ કર્મોનું શમન કરી શકશે નહીં. આવું મન અને આવાં કર્મો દુ:ખમય જીવનમાં ઉતારશે અને સંસારમાં સપડાવશે પછી ઇષ્ટ કે અનિષ્ટ કર્મોના વિનાશ માટેની એકમાત્ર તક–માનવજન્મ-ફરી પ્રાપ્ત નહીં થાય. સાંસારિક સુખો જરૂર ક્ષણિક છે પણ માણસને આ સત્યનું ભાન થાય, ત્યાં સુધીમાં તો એ ઘણી હલકી કક્ષાએ ઉતરી ગયા હશે. પ્રકાશથી આકર્ષાએલાં અને તેને આલિંગન આપતાં જંતુની પેઠે ઐન્દ્રિય ઉપભાગ પ્રત્યે આકર્ષાએલી વ્યક્તિ પાસે કાંઈ રહેતું નથી દેહ પણ નહીં અને નીતિ પણ નહીં. ઓછીવત્તી માત્રામાં સંન્યાસ તે સંયમના પ્રારંભ છે. પાતાની ભભકથી ઇન્દ્રિયોને આંજી દે એવા વિષયોથી જગત ભરેલું છે. શિથિલ જીવનના ભયસ્થાનાથી પ્રતિપળે જાગૃત રહેલી વ્યક્તિ જ પતનમાંથી પેાતાને બચાવી શકે છે. જીવનનાં ભયસ્થાનાથી સતત સાવધ રહેવાથી જ મનુષ્ય સત્યને માર્ગે જાગૃત રહી શકે છે. સંયમરહિત વ્યક્તિ પાતાને મળેલાં સદ્ભાગ્ય મનુષ્યત્વ—નું બિલદાન આપે છે અને ચળકતા કાચના ટુકડાને ખાતર જીવતરરૂપી અમૂલ્ય રત્નના ભાગ આપે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy