SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ ૩. ઉત્તમ આવ સરળ વર્તણૂક પ્રત્યેક સજજનનું લક્ષણ છે. પ્રત્યેક સજ્જન વિચાર, વાણી અને કર્મમાં એકસરખા હાય છે. દુષ્ટોની બાબતમાં આથી વિરૂદ્ધ હાય છે. સુસંગત રહેવું તે ગુણ છે અને અસંગતિ તે દોષ છે. સાચા મનુષ્ય જ સાચા ધર્મ પાળી શકે છે. કારણ કે ધર્મ તેને પેાતાની જાત સાથે અને બીજા સાથે પ્રામાણિક થવાનું શીખવે છે. સરળ થવું એટલે મન, વચન અને કર્મમાં લુચ્ચાઈ, અસ્પષ્ટતા અને અપવંચનાથી દૂર રહેવું. “સરળતાથી મનુષ્ય કાર્ય, વિચાર અને વાણીમાં સાચા રહેશે અને એમ કરીને તે ધર્મ પાળશે'' એવું ભગવાન મહાવીર કહે છે. વ્યવહારમાં સરળતા તે સાંસારિક જીવનની સફળતાની ચાવી છે. તે પોતાનામાં આત્મવિશ્વાસ અને બીજામાં ભરોસા પ્રેરે છે. તે બુદ્ધિની સ્પષ્ટતા અને વિચારની શુદ્ધિ પ્રેરે છે. વિચાર અને કાર્યના હેતુને તે શુદ્ધ બનાવે છે. આવી વ્યક્તિનું મન હમેશાં શાંત હોય છે. શારીરિક અને માનસિક બિમારીનાં મૂળ કારણરૂપ ક્રોધને તે મનમાં કોઈ અવકાશ નહીં આપે. છળ અને કપટ નવાં કર્મના આાવ ઉત્પન્ન કરે છે કેમ કે તે મન અને વિચારોને મલિન કરે છે. છળ પકડાઈ જતાં અપયશ મળે છે અને પ્રતિષ્ઠાની હાનિ થાય છે. સરળ હૃદયના માણસને કોઈ સાથે તકરાર નહીં હોય. તેનું મન કષાયો અને લાભથી મુક્ત હશે. પાપને દૂર હાંકી કાઢવા તે સમર્થ થશે અને નવાં કર્મોના આવને થંભાવશે. દરેક પ્રત્યે તે મૈત્રીભર્યું વલણ દાખવશે અને કોઈને માઠું લાગે એવા પ્રસંગ ઊભા નહીં થવા દે. ૪. ઉત્તમ સત્ય ‘પાંચ અણુવ્રતા’ એવા શીર્ષકમાં સત્યના વિષયની ચર્ચા થઈ ગઈ છે. દશ મહાગુણામાં તેને પાછું સ્થાન આપવામાં આવ્યું તે દર્શાવે છે કે જૈન ધર્મ તેને ઘણું મહત્ત્વ આપે છે. રોજના વ્યવહારમાં તેના આચરણથી જીવની શુદ્ધિ પ્રાપ્ત થાય છે. મહાત્મા ગાંધીએ અંગત અને જાહેર જીવનના પાયામાં સત્ય અને અહિંસાને જ રાખ્યાં છે. બંને એક જ સિક્કાની બે બાજુઓ જેવાં છે. સત્ય આપણાં અસ્તિત્વનું નિયમન કરે છે. ગાંધીજી સત્યના પરમ અન્વેષક હતા અને સત્યનું અન્વેષણ કરવા માટે નિર્ભર હતા. તેમને મન સત્ય ઈશ્વર સાથે એકરૂપ છે. ગાંધીજી કહે છે કે તમારા અંતરના અવાજ જે કહે તે સત્ય. નમ્રતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy