SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ બનાવે છે. ખરી કેળવણી અને સંસ્કાર હોય, તો જ વિનય આવે છે. સાચાં જ્ઞાન, શ્રદ્ધા અને સમજના સૌથી મોટો શત્રુ અભિમાન છે. ૧૮૭ અભિમાન આઠ પ્રકારનું છે: જ્ઞાતિનું, કુળનું, શારીરિક સૌંદર્યનું, પાતે પ્રાપ્ત કરેલાં જ્ઞાનનું, પેાતાની સંપત્તિની વિપુલતાનું, પાતે પ્રાપ્ત કરેલાં ધર્મગ્રંથાના જ્ઞાનનું, સાંસારિક લાભનું અને શારીરિક બળનું. આમાંનું એક માત્ર પણ અભિમાન વ્યક્તિના જીવન પ્રત્યેના દૃષ્ટિકોણને વિકૃત બનાવે છે. આને કારણે ઉદ્ધતાઈ કે સ્વભાવની દુષ્ટતા પણ આવે. અભિમાની માણસ અસહિષ્ણુ અને બીજાના સદ્ગુણેાથી અભિજ્ઞ હોય છે. આમાંનાં કોઈ પણ કારણસર માણસ જ્યારે ઉન્મત્ત બને છે ત્યારે તે ચાપલુસીમાં ઉતરી પડે છે અને બીજાને તુચ્છ ગણે છે. અભિમાની માણસ નિરર્થક વિવાદો કર્યા કરે છે અને પોતાની વાણી અને વર્તનની કર્કશતાથી બીંજાને પાતાનાં દુશ્મન બનાવે છે. નમ્રતા દયાનું મૂળ છે. અભિમાન દયાને સુકવી દે છે. નમ્ર સ્ત્રી કે પુરુષ જનસમૂહમાં હીરાની પેઠે શે।ભી ઊઠે છે. મહર્ષિ, સંતા અને ડાહ્યા માણસા પ્રત્યેના સન્માનમાં નમ્રતા વૃદ્ધિ કરે છે, અને બીજા લેાકોમાં પ્રશંસા અને સન્માનની ભાવના ઉત્પન્ન કરે છે. બધા દુવિચારો અને મિથ્યાજ્ઞાનને તે દૂર કરે છે અને સમ્યક્ જ્ઞાન અને સમ્યક્ ચારિત્રની તરસ ઉત્પન્ન કરે છે. નમ્રતાને કારણે મન પૂર્વગ્રહો અને અરુચિમાંથી મુક્ત થાય છે અને વિચાર તેમજ કાર્યની શુદ્ધિ પ્રાપ્ત છે. વ્યક્તિત્વને તે ગૌરવ પ્રદાન કરે છે અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ કરે છે. મન અને વિચારની શુદ્ધિને દૂષિત કરે તે સર્વ કાંઈ દુષ્કર્મનું પરિણામ છે તેથી આ નિર્બળતાને પરાસ્ત કરવા સર્વ પ્રયત્નો કરવા જોઇએ અને યોગ્ય રીતે સ્વપરીક્ષણ કરી પાપકર્મ બંધ કરવું જોઈએ. નમ્રતા સમ્યક્ દર્શનના એક પ્રકાર છે. તે સમ્યક્ શાનના ઉદય કરાવે છે અને જીવનમાં સાચાં મૂલ્યોનો પ્રવેશ કરાવે છે. આવું જ્ઞાન ધરાવતી વ્યક્તિ બધી વસ્તુઓને ક્ષણભંગુર માને છે; એને પ્રતીતિ થાય છે કે જિંદગીમાં કોઈ પણ કારણે અભિમાન ધરાવવું નિરર્થક છે. સંસારના કોઈ પણ વિષય આધ્યાત્મિક કલ્યાણ કે પ્રગતિ કરી શકે તેમ નથી. લૌકિક જીવનના નિરર્થક વિષયા તરીકે અને જીવના વિકાસના પ્રતિરોધક તરીકે તે તેમને નકારશે. મનુષ્ય દરેક પ્રકારના ગર્વથી મુક્ત રહેવા પ્રયાસ કરવા જોઈએ અને ઉપચિત કર્મોના ઉપશમ માટે શ્રદ્ધા અને જ્ઞાન પ્રાપ્ત કરવાં જોઇએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy