SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૧ હોય, તેટલું જ પોતાને માટે રાખવું જોઈએ. જો તેને બાળકો હોય, તે સીને તેમને ભાગ સોંપી દેવો જોઈએ. પોતાની પાસે જે રહયું હોય તેમાંથી પોતાને નિર્વાહ કરવો જોઈએ અને બીજાનાં દુઃખ દૂર કરવા માટે દાન કરવું જોઈએ. પોતાના મનમાંથી આસકિતના બધા વિચારો દૂર કરી શુદ્ધ અને સંતુષ્ટ રહેવું જોઈએ. શ્વેતાંબર ગ્રંથે આજીવિકા માટે માણસો કે નોકરો દ્વારા પ્રવૃત્તિનો નિષેધ કરતા નથી. આ ક્રમે પહોંચેલો સાધક આરંભત્યાગપ્રતિમાપારી અથવા આરંભવિનિવૃત્ત શ્રાવક કહેવાય છે. ४. परिग्रहत्याग આ ક્રમે પહોંચેલા સાધકે દરેક પ્રકારની આસક્તિઓને ત્યાગ કરી, “મારૂં પિતાનું કહી શકું એવું કાંઈ નથી' એવી માન્યતાને વધારે દઢ કરવાની છે. દશ પ્રકારના સાંસારિક પરિગ્રહ તેણે દૂર કરવાના છે. જમીન, ઘર, ચાંદી, સોનું, પશુ, અનાજ, વસ્ત્ર, ઉપકરણ, દાસીઓ અને દાસ, આહાર, આશ્રય કે વસ્ત્રની તેને કોઈ ચિંતા ન હોવી જોઈએ, અને સર્વ કાંઈ કર્માનુસાર થાય છે એ વિચારે તેણે સંતુષ્ટ રહેવું જોઈએ. જરૂર પૂરતાં જ સાદાં વસ્ત્રો રાખી, એક ખંડમાં કે કોઈ એકાંત જગ્યાએ સુવું જોઈએ. જરૂરિયાતને વિચાર કરી, પિતાની જાતે લોકો તેને જે કાંઈ ખાવાનું. કપડાં કે ઔષધ આપે તે લેવાનું હોય છે. શક્ય હોય તે તેણે પોતાને સમય મંદિરમાં પસાર કરવો જોઈએ. ધર્મગ્રંથો વાંચવામાં મગ્ન રહી તેણે પૂજા કરવી જોઈએ અને બપોરે ભોજન કરવું જોઈએ. અગિયારમી અવસ્થા માટેની આ પ્રારંભિક અવસ્થા છે. આ કામ માટે શ્વેતાંબરો પ્રેણત્યાગ્રતિમા એવા શબ્દો વાપરે છે. આમાં સાધકે સાંસારિક જીવનને બેજો ત્યાગી, કરચાકર મારફત કામ કરાવવું બંધ કરવું જોઈએ. ઓછામાં ઓછી વસ્તુઓ સાથે રાખી, તે અંતિમ નિર્વાણ માટે ઇચ્છા રાખે છે. ભય, રાગ દુષ, કે માયા જેવાં કર્મનાં કારણોમાંથી મુક્ત થઈ જવા માટે તેણે પોતાની જાતને ભાગ્યશાળી માનવી જોઈએ. બધા ભૌતિક પરિગ્રહોમાંથી મુકિત મળી હેય એ પ્રકારનું આચરણ તેણે કરવાનું છે. આ ગૃહસ્થ પરિગ્રહત્યાગપ્રતિમાધારી કહેવાય છે. ૧૦, અનુમતિયા આ ક્રમે પહોંચેલા ગૃહસ્થ વ્યાપાર, કૃષિ જેવી પ્રવૃત્તિઓ, સંપત્તિ પ્રત્યેની આસક્તિ અને કૌટુમ્બિક સંબંધો ત્યજી દેવા જોઈએ. તેને પીરસાતાં ભજન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy