SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ પ્રત્યેની રૂચિ અરૂચિથી તે મુક્ત હોવો જોઈએ. કુટુંબના કોઈ પણ સભ્યનાં કાર્યો કે પ્રવૃત્તિઓમાં તેણે અનુમતિ કે વિરોધ દર્શાવવા ન જોઈએ. તે અનુમતિત્યાગપ્રતિમાધારી કહેવાય છે. ११. उद्दिष्टत्यागप्रतिमा આ ક્રમે ગૃહસ્થ પોતાનું ઘર ત્યજી દે છે અને વ્રતની દીક્ષા લેવા સાધુ પાસે જાય છે. સાધુની માફક તે ભિક્ષાવૃત્તિ વડે નિર્વાહ કરે છે અને કમ્મર પર માત્ર એક વસ્ત્રનો ટુકડો વીંટાળી રાખે છે. કૌટુંબિક સંબંધોનો તે પરિત્યાગ કરે છે. તે મસ્તક અને પગ ખુલ્લાં રાખે છે. ભિક્ષા માંગતાં તેણે પૂર્ણ શાંતિ જાળવવાની હોય છે. ખાસ તેને માટે જ બનાવવામાં આવેલાં ભજનનું નિમંત્રણ તેણે સ્વીકારવું ન જોઈએ. પોતાના હાથની અંજલિમાંથી ભોજન લેવું જોઈએ અને ભોજનમાં કાંઈ વાંધાજનક લાગે તે તત્ક્ષણ તે લેવું બંધ કરવું જોઈએ. શકિત અનુસાર તેણે ઉપવાસ અને તપશ્ચર્યા કરવા જોઈએ શ્વેતાંબરોના ગ્રંથો પ્રમાણે ઉદિષ્ટત્યાગ દશમી પ્રતિમા છે. અગિયારમી પ્રતિમા શ્રમણભૂતપ્રતિમા કહેવાય છે. આ પ્રતિમામાં શ્રાવક પોતાને માટે તૈયાર કરેલાં ભોજનનો પરિહાર કરે છે, ખુલ્લે પગે ફરે છે અને પિતાની જાતે વાળ ખેંચીને દૂર કરે છે અથવા મસ્તક મુંડાવેલું રાખે છે. ભિક્ષા માટેનું કમંડળ અને સાધુનો રજોણો (રજોહરણ) તેણે સાથે રાખવાનાં હોય છે. પોતાનાં સ્વજને પાસેથી પણ તે ભિક્ષા માંગી શકે છે અને સાધુ માટે ગ્રાહ્ય હોય એવું જ ભોજન લઈ શકે છે. ગૃહસ્થ માટે શિસ્તની આ ઉચ્ચતમ કક્ષા છે. તે પોતાનું ઘર ત્યજીને પોતાનું જે કાંઈ હતું તે બધું ત્યાગે છે. શ્રમણ ગુરુ પાસેથી તે વ્રત લે છે. આશ્રય માટે વન અથવા એકાંત સ્થળે જાય છે. બીજી અવસ્થામાં જતાં પહેલાં, પહેલી અવસ્થામાં વ્રતોનું કઠોર પાલન કરી તેણે મનને તૈયાર કરવાનું હોય છે. એટલે ગૃહસ્થ પ્રાપ્ત કરેલી પ્રગતિ એની માન્યતા અને શ્રદ્ધા પર આધાર રાખે છે. મનોવૈજ્ઞાનિક દષ્ટિએ, ભૌતિક આસકિતઓમાંથી એકાએક પલટો આવીને ત્યાગમય જીવન થઈ જતું નથી. અગિયાર પ્રતિમાઓમાં આવતું કઠોર માનસિક અને આધ્યાત્મિક તપશ્ચર્યાઓનું આચરણ અત્યંત વ્યવહારૂ છે અને પ્રત્યેક સાધક તેને સાક્ષાત્કાર કરી શકે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy