SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ સાંસારિક ઉપભાગા પ્રત્યેની લાલસાથી અલિપ્ત રહેવું જોઈએ. પંચ પરમેષ્ઠીને તે નિષ્ઠાવાન ભક્ત હોવા જોઈએ. જિનાએ ઉપદેશેલા સિદ્ધાંતામાં તે અડગ કાળા ધરાવતા હોવા જોઈએ. આવા ગૃહસ્થ દર્શનપ્રતિમાધારી છે. ૧૭૯ २. व्रतप्रतिमा પાંચ આણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત–એમ બાર વ્રતાનુ ગૃહસ્થે પાલન કરવું જોઈએ. કોઈ પણ વ્રતના અતિચાર ન કરવા જોઈએ. વ્રતોનું આચરણ આ ત્રણ શલ્યાથી મુક્ત હાવું જોઈએ : માયા (માહ ), મિથ્યા (વિકૃતિ), નિદાન (સાંસારિક લાભની તૃષ્ણા ). આ રીતે વ્રતનું પાલન કરે તે વ્રતી કહેવાય છે. 3. सामायिक प्रतिमा શ્રાવક ચાર દિશામાં ગાળ ફરીને નમસ્કાર કરે છે. દેહ પ્રત્યે તેને આસક્તિ હોતી નથી તેમ સાંસારિક સંપત્તિની તૃષ્ણા પણ હોતી નથી. બેમાંથી ગમે તે એક આસનમાં સ્થિર થઈને તે ધ્યાન ધરે છે અને પ્રવૃત્તિની શુદ્ધિ જાળવે છે. આ અવસ્થામાં ધર્મગ્રંથોના આદેશ અનુસાર સાધક સામાયિક કરે છે. આત્મશુદ્ધિ માટે અંતનિરીક્ષણ અને ધ્યાન કરવામાં આ પ્રતિમા રહેલી છે. સમંતભદ્ર ઉમેરે છે કે સામાયિકના આરંભ પ્રાર્થના અને જિનસ્તવનથી થાય છે અને દરરોજ ત્રણ વખત તેનું પાલન થવું જોઈએ. શ્વેતાંબરાના મત પ્રમાણે આત્મશુદ્ધિ દ્વારા આધ્યાત્મિક પ્રગતિ માટે ધ્યાન પૂરતું છે. ४. पोषधोपवासप्रतिमा આ વ્રતની વિગતોની ચર્ચા પહેલાં થઈ ગઈ છે. મહિનાના ચાર દિવસ ઉપવાસ કરવા જ જોઈએ. ઉપવાસદનના આગલા દિવસના બારથી તેની શરૂઆત થવી જોઈએ અને ઉપવાસદિન પછીના દિવસે બપારે ઉપવાસ પૂરા થવા જોઈએ. ઉપવાસ દરમ્યાન પ્રાર્થના, ધર્મગ્રંથોનું અધ્યયન, ધ્યાન અને ધર્મકથાશ્રાવણ કરવાનું હોય છે. ५. सचित्तत्यागप्रतिमा મૃદુ હૃદયના શ્રાવકે રાંધ્યા વિનાનાં મૂળ, ફળ, શાક, કંદ, લીલાં પાન, ફણગા અને બી ન ખાવાં જોઈએ. કોઈ ઉગતા છેાડને તેણે કચડી નાંખવા ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy