SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭પ તિવાર–તપાસ્યા વિના પૂજાદ્રવ્યો મૂકવાં અને શરીર ફેલાવવું. (૩) સાતળાતિવાર–કાળજીપૂર્વક તપાસ્યા વિના અને જગ્યાને ધીમેથી વાળીને સાફ કર્યા વિના પિતાનું બિછાનું બિછાવવું (૪) અનવરાતિવાર એટલે ઉપવાસની વાતમાં ઉત્સાહ ન બતાવવો. (૫) રાજાર એટલે ધર્મગ્રંથનું અધ્યયન, એકાગ્રતા વગેરેના પાલનમાં વિસ્મરણ. ४. वैयावृत्य આ વ્રત અતિથિવિમા વ્રત ને નામે ઓળખાય છે. આમાં ભિક્ષાર્થે આવેલા સાધુને ભિક્ષા આપવાની હોય છે. તેમાં એના પગ દબાવવા, એની બિમારી દૂર કરવી, એનાં તપ અને ત્યાગમાં બાધક તને દૂર કરવાં, વગેરે શુશ્રુષાઓનો સમાવેશ થાય છે. આ વ્રતનું ધાર્મિક ફરજ તરીકે પાલન કરવાનું હોય છે. આ વ્રતનું બરાબર પાલન થયું કે નહીં તે નક્કી કરવા નીચેના મુદ્દાઓ ગણતરીમાં લેવા જોઈએ. (૧) પાત્ર ગ્રહણ કરનાર ત્યાગમય જીવન પસાર કરનાર અને બધાંના સન્માનને પાત્ર સાધુ હોવો જોઈએ. (૨) દાતા-આ૫નાર બાર વતાનું પાલન કરનાર, અને અગિયાર પ્રતિમાઓનાં શ્રેષ્ઠ સ્થાન તરફ ધીમે ધીમે આગળ વધનાર ગૃહસ્થ હોવો જોઈએ. (૩) રાતવ્ય દ્રવ્ય એટલે ભેજન, ઔષધ, પુસ્તકો અને રક્ષણ શુધ્ધ હોવાં જોઈએ. (૪) ટ્રાનવિધિ–દિગંબરોના મત પ્રમાણે નવ તત્ત્વોની બનેલી છેઃ દૂરથી સાધુને જોઈને, “નાડતુતિષ્ઠ' એવું કહીને તેને સત્કાર કરવો. પછી તેને ઉચ્ચ સ્થાન આપવું. પછી માનપૂર્વક તેના પગ ધોવા, ફલ, આરતી અને બીજાં પૂજાદ્રવ્યો દ્વારા તેની પૂજા અથવા અર્ચના કરવી. પ્રણામ કરવાં. મન, વાણી અને દેહની શુધ્ધિ (ત્રિયોસિદઘ) સહિત ભજનની ભિક્ષા આપવી. આપનાર શ્રધ્ધા, ભકિત, સંતોષ, ઉત્સાહ, વિવેકથીયુકત નિઃસ્વાર્થભાવે આપનારો અને ક્ષમાશીલ હોવો જોઈએ. વેતાંબરો દાન માટે પાંચ આવશ્યક તો ગણે છે: દેશ અથવા સ્થળ. તેઓ સ્થળમાં ઘઉં, ચોખા કે બીજાં અનાજ કે કઠોળ થતાં હોય તે જુએ છે. કાજી એટલે કે સમય દુષ્કાળનો છે કે સુકાળનો તે જોવું જોઈએ. શ્રધ્ધા-આપનાર મન અને શ્રધ્ધાની પવિત્રતા ધરાવતો હોવો જોઈએ. સાર–અતિથિનો આદરપૂર્વક, સાવધાનપણે સત્કાર કરવો. મ–ભજન પીરસવામાં ક્રમ. ભાત અથવા તેની કાંજી પહેલાં પીરસવામાં આવે છે. દિગંબરોમાં પ્રચલિત ચાર પ્રકારની આપવાની વસ્તુ ઉપરાંત, તાંબરે વસ્ત્ર, કાંબળા, કમંડળ, પ્યાલા વગેરે આપે છે. સાધુને ઉતારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy