SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ જઈને, પિતાને ઘેર આવવાનું તેને આમંત્રણ આપીને તેને સન્માન્ય આસન આપીને, તેમજ તેને ખાવાપીવાનાં દ્રવ્યો આપીને તે ઉપર જણાવેલી વસતુઓનું દાન કરે છે. સમંતભદ્ર કહે છે કે દાનનાં ફળરૂપે કર્મક્ષય, ધનિક, કુળવાન કુળમાં જન્મ, સૌન્દર્ય અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે. શ્વેતાંબર દાન અને પુનર્જન્મ વચ્ચે કોઈ વિશિષ્ટ સંબંધ માનતા નથી. અમૃતચન્દ્ર એ અભિપ્રાય ધરાવે છે કે ભજનનું દાન કર્યાથી લાભનું દમન થાય છે અને હિસાને ત્યાગ થાય છે કારણ કે લોભ હિંસાનું જ સ્વરૂપ છે. સંપત્તિનો કેટલો ભાગ દાન ખાતે આપવો જોઈએ તેની દેવસેને ચર્ચા કરી છે. તેના મત પ્રમાણે સંપત્તિના છ ભાગ પાડવા જોઈએ: એક ભાગ ધર્મ માટે, એક ભાગ કુટુંબના ભરણપોષણ માટે, એક ભાગ માટે, એક નોકરચાકરને રાખવા માટે અને બે ભાગ પૂજાવિધિ માટે. હેમચંદ્રના મતાનુસાર, મહાશ્રાવક અથવા આદર્શ શ્રાવકે પોતાની સંપત્તિ સાત ક્ષેત્રોમાં, વિપત્તિમાં પડેલાંની દયા ખાઈને, રોકવી જોઈએ. (૧) પૂજાવિધિ પછી જૈન મૂર્તિઓની સ્થાપનામાં (૨) જૈન મંદિરો ચણાવવા તેમજ સમરાવવામાં, (૩) ધર્મગ્રંથોની નકલ કરાવીને વિદ્વાન સાધુઓમાં વહેંચવામાં, (૪) સાધુઓને ભિક્ષા આપવામાં, (૫) સાધ્વીઓને ભિક્ષા આપવામાં, (૬) રૂગ્ણાલય, વિશ્રામગૃહ વગેરેની રચના દ્વારા શ્રાવકોને દાન આપવામાં, (૭) ઉપર પ્રમાણે જ શ્રાવિકાઓને દાન કરવામાં. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા જૈનસંઘના ચાર સ્તંભ છે. સમંતભદ્ર નોંધેલા વૈયાવૃત્યવ્રતના પાંચ અતિચારો આ પ્રમાણે છે : (૧) સૃરિતપ્રિધાન લીલાં પાંદડાં, ફૂલ કે બીજી સચિત્ત વસ્તુઓ વડે ખોરાકને ઢાંકવો. (૨) રિતનિધાન સચિત્ત પાંદડાંઓમાં ભેજન આપવું (૩) અનવરાતિવાર ભેજન આપતાં અપમાન કરવું કે સન્માન ન કરવું (૪) ગરમ-TIતિવાર આપવાની રીત ભુલી જવી અથવા આપવાને વખતે પોતાના કામમાં મગ્ન રહેવું. (૫) માસરિત એટલે બીજા શ્રાવકો સાધુઓને ભિક્ષા આપતા હોય, ત્યારે ઈષ્ય અનુભવવી. આ પરથી જણાશે કે જેને નીતિશાસ્ત્ર અહિંસાના સિધ્ધાંત તેમજ સર્વ પ્રાણીઓ પ્રત્યે પ્રેમના પાયા ઉપર ચણાયો છે. સામાન્ય મનુષ્ય જૈન ધર્મમાં બુધ્ધિભરી શ્રધ્ધા રાખવી જોઈએ. રોજિદા આચારમાં અહિંસા અને સત્યના સાચા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy