SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ કહે છે. અનવસ્થિતકારણ એટલે વ્રતપાલનની વિધિ જાળવવામાં નિષ્ફળતા. (૪) અમારા એટલે પાઠ કરવાના શ્લોકોને ભુલી જવા અથવા તો એકાગ્રતાના અભાવ. આ વ્રતને હેતુ, સાંસારિક વિષયો, તેમની કાળજી, ચિંતા, રાગદ્વેષ વગેરેમાંથી અલિપ્તતા કેળવવાના, અને સૌથી વધુ તે મનનું સમત્વ તેમજ ધ્યાનને સમયે એકાગ્રતા કેળવવાનો છે. કેટલાક લેખકોએ આની સાથે પૂજા અને બીજી ક્રિયા સાંકળી લીધી છે. ૩. પોષો વાસ જૈન ધર્મો આદેશેલી તપશ્ચર્યામાં ઉપવાસ સૌથી આગળ તરી આવે છે. તેને કળા તરીકે વિકસાવી, જેનેએ તેમાં નોંધપાત્ર પ્રાવીણ્ય મેળવ્યું છે. પ્રત્યેક ચાન્દ્રમાસના બંને પક્ષાના આઠમ અને ચૌદસને દિવસે ઉપવાસ કરવાને હાય છે. દિગંબર ગ્રંથો પ્રમાણે ઉપવાસનો આરંભ ઉપવાસદિનની આગલી બપારથી થાય, અને ઉપવાસદન પછીના દિવસના બપાર સુધી રહેવા જોઈએ, એટલે કે બધું મળીને ૪૮ કલાકના ઉપવાસ હોય. ઘણા ખરા શ્વેતાંબર લેખકો ઉપવાસના સમય ઉપર કહેલી તિથિએ, ચાવીસ કલાકનો જ માને છે. આ ઉપવાસ ઘરમાં, મંદિરમાં, અથવા તે કોઈક સાધુ રહેતા હોય ત્યાં કરા શકાય. ઉપવાસના સમય દરમ્યાન ઇન્દ્રિયને આનંદ આપે તેવા વિષયોથી અલિપ્ત રહેવાનું હોય છે. ગૃહસ્થજીવનના વ્યાપારો તેમજ વેપારધંધામાં ભાગ લેવાનું પણ ત્યજી દેવાનું હોય છે. પૂજા, ધ્યાન અને ધાર્મિક ગ્રંથાના વાચનમાં ઉપવાસના દિવસ પસાર કરવા જોઈએ. સાંજ અને રાત્રી સામાયિક અને ધર્મગ્રંથના વાચનમાં પસાર થવાં જોઈએ. સમંતભદ્ર કહે છે કે ઉપવાસ એટલે ખાવાપીવા, ચાખવા અને ચાટવાના પરિહાર. ઉપવાસ કરવાના ત્રણ પ્રકારો હાય છે. ઉત્તમ ઉપવાસ ઉપર કહ્યા મુજબના પૂર્ણ ઉપવાસ હોય છે. મધ્યમ ઉપવાસમાં પાણી પીવાની અનુજ્ઞા હોય છે. જઘન્ય અથવા સૌથી ઓછા સંતોષકારક ઉપવાસમાં દિવસમાં એક વખત ખાવાનું હોય છે. શ્વેતાંબર ગ્રંથા કહે છે કે ઉપવાસના દિવસેાએ આદ્દાર (આહાર કરવા), વેમાર (શરીરની સંભાળ), મૈથુન ( જાતીય સંબંધ) અને વ્યાપાર (વ્યવસાય) પૂર્ણ કે આંશિક રીતે, શ્રાવક પેાતાની શક્તિ અનુસાર ત્યજે છે. સમંતભદ્ર આ વ્રતના પાંચ અતિચારો ગણાવ્યા છે : (૧) ચંદ્દળતિખાર --પરીક્ષણ વિના અને સંભાળપૂર્વક તપાસ્યા વિના પૂજાદ્રવ્યો લેવાં. (૨) વિસf Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy