SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૩ જો કે બીજે વખતે પણ આ વ્રતનું પાલન કરવામાં આવે, તે તે લાભદાયક છે. વ્રતપાલનથી પ્રાપ્ત થયેલું સમત્વ, પાપમય પ્રવૃત્તિઓના પરિવારમાં પરિણમશે. સામાયિક જો નિયમિત કરવામાં આવે, તો તે મનને સમત્વ અને આત્મા પરની મનની એકાગ્રતા આપે છે. આ વ્રત કરવા ઇચ્છતી વ્યક્તિને કોઈને ભય ન હોવો જોઈએ, કોઈ સાથે તકરાર ન હોવી જોઈએ, કોઈનું દેવું ન હોવું જોઈએ, અને મનને બીજી દિશામાં વાળે એવી કોઈ ચિંતા ન હોવી જોઈએ; સાધુની જેમ તેણે પાંચ સમિતિ, અને ત્રણ ગુપ્તિનું પાલન કરી, હાનિકારક વાણીને પરિહાર કરવો જોઈએ અને કોઈ પણ વસ્તુ ઉપાડતાં કે મૂકતાં પહેલાં તેણે પ્રતિલેખના (ભૂમિનું બારીક અવલોકન) અને પરિમાર્જના (સુંવાળી સાવરણી વડે જમીનને સાફ કરવાનું) ભુલવાં ન જોઇએ. થુંકવું કે લીંટ કાઢવું ન પડે તે માટે પ્રયાસ કરવો જોઈએ. તેણે જમીનને ટુકડે શોધી કાઢી, ઉપર કહ્યા પ્રમાણે તેનું અવલોકન કરી, ધીમેથી સાફ કરવો. સામાયિકમાં મગ્ન શ્રાવક સાધુ જેવો જ લાગે છે. માત્ર તેનાં વસ્ત્રો સાધુથી જુદાં હોય છે. - સેમદેવે સામાયિકને વિચાર વધારે વિસ્તૃત કરી, મૂર્તિ સાથે કે મૂર્તિ વગર અહંતની પૂજા, સરસ્વતીની સ્તુતિ દ્વારા પવિત્ર ધર્મગ્રંથોની પૂજા અને ધ્યાનને પણ સામાયિકમાં ગયાં છે. સાધકે જિનની સ્તુતિ ગાવી જોઈએ. અને આત્મધ્યાનમાં જ મગ્ન થઈ જવું જોઈએ. સમતભદ્ર અને અમૃતચંદ્ર બંને જણાવે છે કે સાધક જ્યારે પૂર્ણ કે આંશિક ઉપવાસ કરતો હોય, ત્યારે તેણે સામાયિક કરવું જોઈએ. સંસારનાં કારણોને તેણે વિચાર કરવો જોઈએ અને મોક્ષમાર્ગનું ધ્યાન ધરવું જોઈએ. સમંતભદ્ર આ વ્રતના પાંચ અતિચારો દર્શાવ્યા છે: દિગંબર તેમજ શ્વેતાંબર પરંપરાઓમાં આ અતિચારો સમાન છે. (૧) વાસ્તુળધાન સામાયિક આચરતાં કૌટુમ્બિક વાતો કરવામાં પડી જવું (૨) કાયદુwઘાનસંયમને માઠી અસર પહોંચે એવું શરીરનું હલનચલન કરવું. હરિભદ્ર કહે છે કે સાધક બેસતાં પહેલાં જમીનને તપાસીને બરાબર સાફ ન કરે તો આ વ્રતનો અતિચાર થાય છે. (૩) મનડુબ્રાધાન–સાંસારિક વિષયોની ચિતાને કારણે ધ, માયા, માન, મત્સર, ઈર્ષ્યા આદિથી મન છવાઈ જવું (૪) અનાવર સામાયિકના આચરણમાં યોગ્ય ઉત્સાહનો અભાવ. આને અનવરિતાર પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy