SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ .. આકાશ. જીવ જ્ઞાન અને દર્શનના ગુણા ધરાવે છે, રૂપરહિત છે, કર્તા છે, કર્મફળના ભાકતા છે, અને ઊર્ધ્વગતિ ધરાવે છે. તે સંસારમાં વસે છે અને પૂર્ણાવસ્થામાં સિદ્ધ છે. જીવ અમર છે જ્યારે દ્રવ્ય અવિનાશી છે. સૃષ્ટિના કારણ તરીકે વેદાન્તી માત્ર બ્રહ્મને જ સ્વીકારે છે. જૈન ધર્મ માને છે કે વનસ્પતિ અને ધૂળના કણ, શીતળ જળ, અગ્નિ અને પવન-દરેકને જીવ છે. આ વૈજ્ઞાનિક વર્ગીકરણનાં મૂળ વેદોમાં કે હિંદુઓએ પવિત્ર માનેલા બીજા ધર્મગ્રંથામાં મળતાં નથી. ઉપનિષદો આત્માનાં એકત્વ અને તેનાં સર્વોપરિ અસ્તિત્વ પર ભાર મૂકે છે તેા બુદ્ધ તત્ત્વવિદ્યાના પ્રશ્નામાં બહુ પડતા નથી અને તેમને અવ્યકત કહે છે. આત્મા અને દેહ, જગતનાં સ્વરૂપ કે મૃત્યુ પછી જીવનનાં અસ્તિત્વ કે અભાવ જેવા પ્રશ્નાના વિધેયાત્મક કે નકારાત્મક જવાબ આપવા તેઓ માંગતા નથી અને આવા વિષયો પર ચિંતન કરવાની તેઓ ના કહે છે. જૈન ધર્મના ઈશ્વરજ્ઞાનના ખ્યાલા સ્પષ્ટ અને બુદ્ધિયુક્ત છે. પૂર્ણ આનંદ કે જ્ઞાન વગેરે મૂળ ધર્મ જેણે પ્રાપ્ત કર્યા છે એવા મુક્ત આત્માને જૈન ધર્મ ઈશ્વર માને છે. ઈશ્વર વ્યક્તિ કે સૃષ્ટિ પર અંકુશ ધરાવતા નથી. સંપૂર્ણતાને આદર્શ ઈશ્વરત્વ છે. તે કોઈને કૃપા કે સુખનું દાન આપી નથી શકતા તેમ કોઈનાં સુખદુ:ખને નાશ પણ કરી શકતા નથી. હિન્દુધર્મ એક એવા ઈશ્વરને માન્ય રાખે છે જે સૃષ્ટિના સર્જક, પાલક અને સંહારક છે. પ્રત્યેક મનુષ્યની પૂર્ણત્વ અથવા ઈશ્વરત્વ પામવાની શક્તિના સિદ્ધાંત સાથે સુસંગત રીતે જૈન ધર્મના નીતિના સિદ્ધાંતો એવી આચારસંહિતા નિયત કરે છે, જે, જીવનના મૂળમાં અહિંસા સ્થાપીને વ્યક્તિને આદર્શ માનવ બનાવવા માંગે છે. જગતના પ્રત્યેક પ્રાણીના કલ્યાણને લક્ષમાં રાખી તે વિશ્વવ્યાપી પ્રેમને ઉપદેશે છે. સ્વાર્થ, લાભ, ક્રોધ અને માન જેવા આવેગે જ આપણી દુર્દશા અને દુ:ખનાં કારણરૂપ છે. કોઈ પણ ભાગે તેમના પરિહાર કરવાના છે અને નિ:સ્વાર્થતા, દાન, કરુણા, ક્ષમા તેમજ જીવને ઉન્નત કરે અને સમાજમાં બીજાંને સુખ આપે એવા ગુણાથી તેમને પરાજય કરવાના છે. ગૃહસ્થ જીવનમાં અગિયાર પ્રતિમાઓમાં ક્રમશ: નૈતિક અને આધ્યાત્મિક ઉત્કર્ષ પ્રાપ્ત કરવાને માર્ગ બતાવીને અંતે કૌટુંબિક જીવન સાથેનાં સઘળાં બંધને તોડી નાંખવાનાં હોય છે. આત્માને માટે તે ચૌદ ગુણસ્થાના ( આધ્યાત્મિક ઉન્નતિની અવસ્થા ) સ્વીકારે છે અને ગૃહસ્થની અગિયાર અવસ્થાને પાંચમા ગુણસ્થાનમાં સમાવેશ કરે છે. પાંચ અણુવ્રતાનું રોજના જીવનક્રમમાં પાલન કરવાનું હોય છે: અહિંસા, સત્ય, અસ્તેય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy