SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧ જૈન ધર્મ અને તેની પ્રાચીનતા મનુષ્યના ચિંતનને ઇતિહાસ દર્શાવે છે કે મનુષ્ય સતત સત્ય અને સુખને શોધતો રહ્યો છે. દુઃખ અને વિટંબણાઓથી તે બચવા માંગે છે. મનુષ્ય સામાજિક પ્રાણી હોવાથી તેના સુખ અને દુઃખની સમસ્યાઓનો ઉકેલ એના, સમાજના અથવા વધુ વિશાળ દષ્ટિએ જોતાં, જગતના સંદર્ભમાં હોવો ઘટે. મનુષ્યને એક આત્મા છે અને એક દેહ છે. સુખ કે દુઃખ આનંદ કે આપત્તિની કોઈ પણ અનુભૂતિમાં, આત્મા અથવા દેહ અથવા તે બંનેની સાથે સંબંધ ધરાવે છે. વળી, આ ઉપરાંત વિશ્વ પણ છે. મનુષ્ય અને વિશ્વનો સંબંધ વિજ્ઞાન અને ધર્મ બંનેને વિષય છે અને બંનેનું એક સાધારણ લક્ષ્ય છે—સત્યની શોધ. પ્રકૃતિની ઘટનાઓમાં રહેલી વ્યવસ્થાને શોધવાનું કામ વિજ્ઞાનનું છે. પુરાણ કે રહસ્યવાદને આશ્રય લીધા વગર, પ્રાકૃતિક ઘટનાઓમાં રહેલા નિયમોને તારવવા અને વિશ્લેષણ દ્વારા તેમને સમજાવવા તે કોશિષ કરે છે. બાહા જગતના ક્ષેત્રમાં વિજ્ઞાનની સિદ્ધિઓ તાજુબ કરી દે એવી નોંધપાત્ર છે, પણ સત્ અને જીવનના મર્મને લગતા પ્રશ્નો તેના ક્ષેત્રની બહાર છે. મનુષ્ય અને વિશ્વ, મનુષ્ય અને તેનું કર્તવ્ય, તેનું જીવનધ્યેય, અને ધ્યેયપ્રાપ્તિનો માર્ગ – આ બધાને લગતા પ્રશ્નોને ઉત્તર આપવા દરેક ધર્મ પ્રયાસ કર્યો છે. ઉપદેશ અને ઉદાહરણ દ્વારા આ પ્રશ્નને ઉત્તર વખતોવખત ઘણા સંત અને ઋષિઓએ આપ્યો છે. તેમણે જે કાંઈ કહ્યું કે કર્યું તેની તવારીખ રચાઈ ગઈ અને તે તેમના ધર્મોના પંથ બની ગયા. એક જ મુદ્દા પર તેમની માન્યતાઓ ભિન્ન ભિન્ન હતી, અને આ મુદ્દો હતો ઈશ્વરનું અસ્તિત્વ, તેના ગુણ અને તેનાં કાર્યો. વિશ્વ પરમેશ્વરનું સર્જન છે એવું જૈન ધર્મ સ્વીકારતો નથી. વિશ્વ જીવ અને અજીવનું બનેલું છેઆ બંને નિત્ય, અસુષ્ટ, સહ-અસ્તિત્વ ધરાવતા અને સ્વતંત્ર છે. અજીવ પાંચ પ્રકારના છે; પુદ્ગલ, ધર્મ, અધર્મ, કાલ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy