SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ १. दिग्वत દિશાઓ દશ છે : પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, પૂર્વોત્તર, પશ્ચિમોત્તર, દક્ષિણપૂર્વ, દક્ષિણપશ્ચિમ, ઉપર અને નીચે. જાણીતા વિષયો અંગે પ્રત્યેક દિશામાં સીમાઓ નક્કી કરવી જોઈએ અને આ સીમાનું અતિક્રમણ ન કરવાનો નિશ્ચય કરવો જોઈએ. આ પ્રમાણે નક્કી થએલી સીમા પૂરતી પ્રવૃત્તિની મર્યાદા જે સ્વીકારે છે તેઓ પોતે નક્કી કરેલી સીમાના બહારના પ્રદેશમાં અહિંસાવ્રતનું પાલન કરે છે. આ સીમાની બહારના પ્રદેશમાં દરેક વિષયમાં સંયમ રાખવા એ સમર્થ થશે. આમાંના કોઈ પણ પ્રકારનાં વ્રતોનો ભંગ થવાને સમય જ નહીં આવે. આ જાતની મર્યાદા આજીવન પાળી શકાય અથવા અમુક સમય માટે પાળી શકાય. દિશાઓની મર્યાદા નક્કી કરવામાં તે પોતાના વ્યવસાયને અને ધંધાકીય જરૂરિયાતોને લક્ષમાં રાખી શકે. આથી લાભ પર પણ મર્યાદા આવશે. આ વ્રતને અતિચાર પાંચ પ્રકારે શક્ય છે : (૧) પોતે નક્કી કરેલી દિશામાંથી ઊર્ધ્વ દિશામાં જવું. (અર્વવિપરિમા તિઝમ) ઊર્ધ્વગમન ન કરવાનું વ્રત લીધું હોય, તે મનુષ્ય વૃક્ષ કે પર્વત પર ચઢી ન શકે. હવાઈ મુસાફરી ન કરી શકે. પોતાની નિશ્ચિત મર્યાદાની ઉપરવટ ગતિ થાય તો અતિચાર થએલે ગણાય. ૨) નક્કી થએલી મર્યાદા કરતાં ભૂમિમાં વધુ ઊંડે જવું. (ઘોવિઝમાળાતિમ). ભૂમિની સપાટી પૂરતી મર્યાદા નક્કી કરી હોય, તો માણસ કુવામાં ઉતરી ન શકે તેમ જ દાણા ભરવા માટે ખોદેલા ખાડામાં કે ખાણમાં ન ઉતરી શકે. (૩) મર્યાદિત દિશાઓની ઉપર આઠ દિશાઓમાંથી કોઈ પણ દિશામાં પ્રવાસ કરે (તિર્યfવપ્રમાસિમ). નદીઓ કે પર્વત જેવી જાણીતી સીમાઓ દ્રારા મર્યાદા નક્કી કરી શકાય અથવા યોજન, માઈલ કે બીજાં પ્રમાણોની પરિભાષામાં અંતર નક્કી કરી શકાય. જાણીબુઝીને આ મર્યાદાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોય, તો તે ભંગ છે. ભુલથી કે અજાણતાં થયું હોય તો તે અતિચાર છે. (૪) ચેથા પ્રકારને અતિચાર મર્યાદા લંબાવવામાં છે. (ક્ષેત્રવૃદ્ધિ)-સગવડ ખાતર કે ભુલથી મર્યાદા ઓળંગવાનો પ્રયાસ આમાં આવી જાય છે. (૫) ભુલથી મર્યાદા ઓળંગવી (મૃતિ–સતર્ધાન) २. अनर्थदण्डव्रत ગુણવતેમાંનું આ બીજું વ્રત છે. કોઈ પણ જાતનાં સમર્થન વગર મન, વાણી કે આચરણનું પાપ, પોતે નક્કી કરેલી મર્યાદાની અંદર ન કરવું તે આ વ્રતમાં આવી જાય છે. એક વખત મર્યાદા નક્કી કર્યા પછી પાપ ગણાતું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy