SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૭ કેટલાક લેખક કહે છે કે આઠ મૂળગુણો એટલે પાંચ ઔદુમ્બર ફળ અને મદિરા, માંસ, તેમજ મધને ત્યાગ. અહિંસાવતનો વિચાર કરતાં આઠ ય વસ્તુના પરિવારની આવશ્યકતાઓ વિષે ઉલ્લેખ થઈ ગયો છે. પાંચ પ્રકારનાં ઔદુમ્બર ફળો એટલે કે દ્રાક્ષ, અંજીર, વડના ટેટા, પીપળાનાં ફળ અને પાકરના ફળમાં સાફ દેખી શકાય એવા જીવો ભરેલા હોય છે. ઘણી વખત આ જીવો મૃત હોય છે. ઉપરાંત, અત્યંત સૂક્ષ્મ, અગણિત બી પણ તેમનામાં હોય છે અને આ નાનાં જંતુથી તેમને જુદાં તારવી શકાતાં નથી. મદિરાને નિષેધ છે કારણ કે તે પીનાર વ્યકિતને ઉન્મત્ત બનાવે છે અને આરોગ્ય પર પ્રતિકૂળ અસર કરે છે. આથાની ક્રિયામાં અગણિત જીવોનું મઘમાં રૂપાંતર થાય છે. સર્વ અનિષ્ટનું મૂળ હોવાથી મદિરાને નિઘ ગણી છે. તે મનને મોહમાં નાખે છે અને વિવેકની ભાવના પર બુરી અસર કરે છે. માણસ શરાબની પૂરી અસર હેઠળ હોય ત્યારે પોતે કરેલાં સર્વ પાપ પ્રત્યે દુર્લક્ષ સેવે છે. સેમદેવ કહે છે કે મદિરાથી જ યાદવકુળનો વિનાશ થયો અને જુગારથી પાંડવોને વિનાશ થયો હતો. દારૂનાં એક ટીપાંમાં રૂપાંતરિત થએલા અસંખ્ય જીવો આખી સૃષ્ટિને ભરી દેવા સમર્થ હોય છે. માંસભક્ષણના નિષેધ માટેનાં કારણો પહેલાં ચર્ચાઈ ગયાં છે. પોતાનું કલ્યાણ ઇચ્છતા લોકો બીજાનું માંસ ખાઈને પોતાની તબિયત સુધારે છે તે માટે સેમદેવ આશ્ચર્ય વ્યકત કરે છે. જેમ માણસને પોતાની જિંદગી પ્રિય છે તેમ પક્ષીઓ અને પશુઓને પોતાની જિંદગી પ્રિય હોય છે. આથી પ્રાણીઓને સંહાર કરતાં અટકવું જોઈએ. મધપૂડાને દબાવીને મધ કાઢવામાં અગણિત નાના ઈંડાં અને જીવની હિંસા થાય છે તેથી મધને નિષેધ કરવામાં આવ્યો છે. અસંખ્ય અદશ્ય જીવો હોવાને કારણે માખણને પણ કેટલાક લેખકોએ નિષિદ્ધ ખાદ્ય પદાર્થોમાં ગયું છે. ગુણવ્રત સમંતભઠે ત્રણ ગુણવ્રતને ઉલ્લેખ કર્યો છે. વ્રિત, કનgવ્રત અને મોળોમોrgરિમાણવ્રત. બીજાં વ્રતોના અતિચાર, પૂરા નહીં તે આંશિક રીતે પણ ઓછા થાય, તે માટે ગૃહસ્થની પ્રવૃત્તિઓ પર લાંબા ગાળાનો અંકુશ મૂકવાને ઈરાદે આ વ્રત નક્કી થયાં છે. તેઓ આવ્રતના પાલનમાં મદદરૂપ થવા માટેનાં પૂરક વ્રત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy