SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ છે. વધુ નફો મેળવવાની આશાએ વધુ અનાજ કે બીજી ચીજવસતુઓના અધિક સંગ્રહમાં અતિસંગ્રહ નામનો બીજો અતિચાર થાય છે. અછતની સ્થિતિને લાભ લેવાના ઈરાદાથી આવું લેભી કામ કરવામાં આવે છે. સ્વદેશમાં કે પરદેશમાં લોકોનો વિપુલ દ્રવ્યસંગ્રહ જોઈને ભારે નિરાશાની લાગણી અનુભવવી તેને અતિવિસ્મય નામને અતિચાર કહે છે. પોતાના વિચારોને પરિણામે કે બીજાના વિચારોની અભિવ્યકિત ઉપરથી આ વિસ્મય કે નિરાશાની લાગણી ઉપજે છે. જુદા જુદા સોદાઓમાં અત્યધિક લોભ કરવો તે અતિલોભ. બીજે ઓછી કિંમતે મળતી વસ્તુઓના વધારે ભાવ લેવામાં આ પ્રકારને અતિચાર થાય છે. છેલ્લો અતિચાર તે અતિભારવાહન એટલે કે ભારવાહક પશુઓ પાસે, ભાડા પેટે નફો ખાવાના ઉદ્દેશથી વધારે પડતો ભાર ઉપાડાવવો. માત્ર નફાના જ ઉદ્દેશથી વેપાર કરતા વેપારીઓ આ પ્રકારનો અતિચાર કરે છે. રિઝરમાદ્રિત લીધું હોય, તેમને માટે વ્રતના નિયમે ચેતવણીરૂપ છે. આવ્રત પ્રવૃત્તિના ત્રણ સિદ્ધાંતોનું આચાર્ય શ્રી તુલસીએ આધુનિક રીતે પ્રતિપાદન કર્યું છે. તેમણે ભારપૂર્વક કહ્યું છે કે અહિંસાવ્રતથી માત્ર અંગત પ્રશ્ન જ નહીં પણ યુદ્ધ અને શાંતિ જેવા આંતરરાષ્ટ્રીય પ્રશ્ન પણ ઉકેલ આવી શકે. જુઠાણું, કાળાબજાર, ભેળસેળ, નફાખોરી, અને શૈથિલ્ય જેવાં આધુનિક જીવનનાં દૂષણોને, માનવધર્મના સિદ્ધાંતરૂપ પાંચ વ્રતના પરિપાલનથી ઉકેલ આણી શકાશે. વ્યકિતગત નૈતિક ધોરણો ઊંચાં લાવવાથી માનવજીવનના રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય–દરેક પ્રકારના પ્રશ્નનો ઉકેલ મળી શકે એવું પૂરવાર કરવા તેમણે પુસ્તકો અને પુસ્તિકાઓ પ્રસિદ્ધ કર્યા છે. મૂડીવાદ વિરૂદ્ધ સામ્યવાદને પ્રશ્ન અપરિગ્રહવ્રતનું એગ્ય પાલન કર્યાથી ઉકલી શકે તે અહિંસાને ઉચિત રીતે સમજવાથી અને તેનાં આચરણથી મનુષ્યના હૃદયમાંથી યુદ્ધના બીજરૂપ દુષ્ટતાને ઉખેડી શકાશે. મહાત્મા ગાંધીએ કયારનું ય પુરવાર કર્યું છે કે જગતની દુર્જય સત્તા આગળ અહિંસા અને સત્ય, સિદ્ધિ મેળવી શકે છે. અષ્ટ મૂલગુણે સમંતભદ્ર કહે છે કે શ્રાવક અથવા ગૃહસ્થના મુખ્ય ગુણ એટલે પાંચ અણુવ્રત અને મદિરા, માંસ અને મધને પરિહાર. મેં આગળ ઉપર પાંચ અણુવ્રતોને સમજાવ્યાં છે અને મન, વિચાર અને આચરણની શુદ્ધિ જાળવવામાં તેમનાં મહત્ત્વની પણ ચર્ચા કરી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy