SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૫ મિથ્યાવા (૨) સ્ત્રીવેર (૩) પુરુષવેર (૪) નપુસંવેદ્ર (૫) હાસ્ય (૬) રતિ (૭) જત (ઉદાસીનતા અથવા નાખુશી) (૮) શો (૯) મા (૧૦) ગુણા (૧૧) શોઘ (૧૨) માન (૧૩) માયા (૧૪) જોમ. આર. વિલિયમ્સ કહે છે કે વ્રતના ઉપલક્ષ્યમાં આ બધું તદ્દન અપ્રસ્તુત છે પણ સજીવ કે નિર્જીવ પદાર્થોની બનેલી મિલકતની પ્રાપ્તિ, માલિકી, ઉપભોગ અને રક્ષામાં જીવની શુદ્ધિ પર ખૂબ અસર થાય છે, તે ભારપૂર્વક કહેવા માટે આ પ્રસ્તુત જ છે. આસક્તિમાંથી પરિગ્રહ જન્મે છે. આસકિતના પ્રકાર અને તીવ્રતા ભિન્ન ભિન્ન હોય છે. સ્ત્રી પરિચારિકા કે પુરુષ પરિચારકની માલિકી જાતીય આવેગોને ઉશ્કેરે અને પરિણામે રતિ, હાસ્ય અને શોકને પણ ઉદ્ભવ થાય. અંતરંગ આસક્તિઓમાં ગણાવેલી બીજી માનસિક અવસ્થાઓ, વિવિધ પ્રકારનાં દ્રવ્યોની પ્રાપ્તિ કે રક્ષાની ભાવનાને કારણે છે એમ કહી શકાય. લોભ, માયા અને માન, સંગ્રહ કરવાની નિરંકુશ તૂણામાંથી ઉદ્ભવે છે જ્યારે તે વસ્તુને ત્યાગ કરતાં ભય, ક્રોધ અને શોક ઉત્તેજિત થાય છે. ઘર, જમીન જેવી સ્થાવર મિલકત તેમજ સોનું, ચાંદી, સિક્કા, ઝવેરાત, વસ્ત્રો, બિછાનાં, રાચરચીલાં અને દાણા જેવી ચલિત સંપત્તિ તેમજ પુરુષ અને સ્ત્રી ને કરચાકર જેવાં સજીવ પ્રાણીઓની માલિકીમાં બહિરંગ પરિગ્રહ રહેલો છે. આ સંપત્તિ સજીવ કે નિર્જીવ હોય તે પ્રમાણે તેના ઉત્તર અને ઉત્તર એવા વિભાગો પડે છે. આ વ્રતને ઉદ્દેશ એ છે કે પ્રત્યેક ગૃહસ્થ માલિકીની વસ્તુઓ (સજીવ અને નિર્જીવ) નાં સ્વરૂપ તેમજ વિસ્તાર અંગે અંકુશો સ્વીકારવા જોઈએ, જેથી લોભ પર તેને કાબુ રહે. ત્યાગ એ જીવન જીવવાનો સાચો માર્ગ છે પણ દરેક માટે તેનું અનુસરણ શક્ય નથી. આથી પરિગ્રહ પર જાતે મર્યાદા નક્કી કરવી જરૂરી છે. પિતાની મર્યાદા નક્કી કર્યા પછી પણ વ્રતનું ઉલ્લંઘન પાંચ રીતે શક્ય છે. રત્નાલંદશાવવવારના ૬૨મા શ્લોકમાં સમંતભદ્ર આટલા અતિચારો ગણાવ્યા છે : મતિવાન, તિસંગ, ગતિવિરમય, યતિરોમ, ગતિમrtવાહન. બળદ, ઘોડા વગેરે પોતાની શક્તિ અનુસાર ભાર ઉંચકીને સુખપૂર્વક જેટલા અંતર સુધી જઈ શકે, તે કરતાં વધારે અંતર સુધી તેને લઈ જવામાં અતિવાહન નામને અતિચાર થાય છે. દ્રવ્ય કે સમય બચાવવાના લેભે આવું કરવામાં આવે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy