SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ થવાય જ છે પરંતુ બીજા પણ વિવિધ પ્રકારનાં પાપ થાય છે. આ વ્રતના ભંગ કરવાથી સમાજના પણ અપરાધ થાય છે, કારણ કે આવા ભંગ સામાન્ય નીતિનિયમાને ક્ષુબ્ધ કરીને કૌટુંબિક જીવનની શાંતિ અને પરસ્પર વિશ્વાસના ભંગ કરાવે છે. વ્યભિચારી સ્ત્રી કે પુરુષ અનેક પ્રપંચભર્યા કામેામાં સંડોવાય છે અને પરિણામે બીજા સદ્ગુણ્ણાના નાશ થાય છે. ધર્મના સામ્રાજ્યમાં વસતે। માણસ પોતાની જાતીય ઇચ્છામાં સંયમી હાય છે તેથી પેાતાની પરિણીત પત્નીથી સંતુષ્ટ રહીને તેણે પરસ્ત્રી, સંબંધીઓની સ્ત્રીઓ કે સાધ્વીઓથી દૂર રહેવું જોઈએ. જાતીય સુખની ઇચ્છાના અગ્નિ ભભૂકતા હોય ત્યાં સુધી અધ્યયન, ધ્યાન અને સદ્ગુણી આચરણ શકય નથી. अपरिग्रह પરિગ્રહ એટલે પેાતાની માલિકીની વસ્તુ માટે મેહભરી આસકિત (મૂર્છાવરિત્ર:). જમીન, ઘર, ઢોર, સાનું, ચાંદી, રોકડ રકમ જેવી અનેક સાંસારિક વસ્તુ મેળવવાની અને એના પર માલિકી ધરાવવાની સ્રીને કે પુરુષને ઇચ્છા થાય તે સ્વાભાવિક છે. આ ઈચ્છા અમર્યાદિત ન હોવી જોઈએ. પરિગ્રહદ્રવ્યો પ્રત્યેની આસક્તિ જ્યારે નિરંકુશ અતે નિર્મર્યાદ બની જાય છે ત્યારે મન લાભ અને ભ્રમના કષાયોથી અભિભૂત થઈ જાય છે. આવું મન સમ્યક્ દર્શન, સમ્યાન અને સમ્યક્ ચારિત્રથી વિમુખ બની જાય છે. કોઈ પણ પ્રકારના માહ કે આસક્તિ અનિષ્ટકારક છે. સંપત્તિનું રક્ષણ કરવા મનુષ્ય હિંસા અને અસત્યનો આશ્રય લે, તેવા પણ સંભવ રહે છે. પરિગ્રહની ઇચ્છા નિરંકુશ બને ત્યારે અનિષ્ટ નીવડે છે. આ પ્રકારના અનિષ્ટથી મુક્ત થવા પાતે પ્રાપ્ત કરવા જેટલી સંપત્તિ કે દ્રવ્યની સીમાના નિર્ણય કરી લેવા જોઈએ. લક્ષ્ય પ્રાપ્ત કર્યા પછી પ્રાપ્તિ અંગેની પ્રવૃત્તિ થંભાવી દેવી જોઈએ. આને ક્ન્છાપરિમાણવ્રત કહે છે. અમૃતચન્દ્રસૂરિ પરિગ્રહની વ્યાખ્યા આ પ્રમાણે આપે છે: પરિગ્રહ એટલે આસક્તિ, તે મેહ અથવા મેાહનીય કર્મના પરિણામે ઉત્પન્ન થાય છે. પરિગ્રહની બધી ભાવનાનેા ત્યાગ તે અપરિગ્રહ. પરિગ્રહ અથવા સમ્પત્તિ પ્રત્યેની આસક્તિ બે પ્રકારની હોય છે: દ્વિજ્ઞ અને અંતરજ્ઞ પ્રથમમાં માલસામાન, નોકરચાકર, પશુઓનું ધણ વગેરેની માલિકી છે. અંતરંગ પરિગ્રહ ચૌદ પ્રકારના છે : (૧) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy