SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ છે. દા. ત. બીજા પાસેથી લેતાં ભારે કાટલાં લેવાં અને પિતાની વસ્તુ વેચતાં હલકાં કાટલાં વાપરવાં. આવી શંકાસ્પદ યુક્તિપ્રયુકિતથી સોદો કરનાર વ્યકિત પ્રયત્નપૂર્વક અટકે નહીં ત્યાં સુધી અચૌર્યવ્રત પૂર્ણ કે પ્રામાણિક ગણાતું નથી. ભેળસેળ હવે એટલી સામાન્ય થઈ પડી છે કે કોઈ પણ ખાદ્ય પદાર્થ કે દવા હલકી વસતુના ભેગ વગર મેળવવાં શક્ય નથી. ભેળસેળ અને ખોટાં તોલમાપ હવે ધંધાની ચાલુ રસમ બની ગયાં છે. ब्रह्मचर्य ચોથું વ્રત તે બ્રહ્મચર્ય છે. સમંતભદ્ર કહે છે કે આ વ્રતમાં પરસ્ત્રી સાથેનાં મૈથુનથી દૂર રહેવાનું હોય છે. બીજાને આવા સંબંધ બાંધવા પ્રોત્સાહન આપવામાંથી અટકવાનું હોય છે, કારણ કે આમ અટકે નહીં તે વ્યકિત પાપ વહેરી લે છે. ઉપાધ્યાય અને બીજાની સમક્ષ જે સ્ત્રી સાથે લગ્ન થયાં હોય તેનાથી જ સંતોષ માનવાનો હોય છે. પરસ્ત્રી સાથે જાતીય સુખની ઇચ્છા રાખવી ન જોઈએ તેમજ વાસનાભરી દૃષ્ટિથી તેની સામે જોવું ન જોઈએ, બીજાં બધાં વ્રત કરતાં આ વ્રત તેનાં દ્રિવિધ સ્વરૂપમાં જદું પડે છે. પોતાની સ્ત્રીથી સંતોષ (સ્વર )નું વિધાન કરવામાં તે વિધેયાત્મક તો પરસ્ત્રી સાથેના સંબંધનો પરિહાર કરવાનું વિધાન કરવામાં (મરવારમ)માં તે નકારાત્મક છે. - અમૃતચન્દ્રસૂરિ એ ચક્કસ મત ધરાવે છે કે દરેક પ્રકારને જાતીય સંબંધ હિંસાત્મક છે. જાતીય સંબંધને તેઓ તલથી ભરેલી નળીમાં ગરમ લખંડને સળિયો રાખવા સાથે સરખાવે છે. આમ કરવાથી બધાં બી બળી જાય છે. તેવી જ રીતે પ્રત્યેક મૈથુન યોનિમાં મોટા પ્રમાણમાં, સતત જન્મતા જીવોને નાશ કરે છે. વાસનાથી પ્રેરાયેલું મૈથુન હિંસામાં પરિણમે છે. બધા જ લેખકો એ બાબતમાં સંમત છે કે ગૃહસ્થ જે તે આ વ્રતનું પાલન કરવા માંગતો હોય, તે પોતાની પત્નીથી સંતોષ માનવો જોઈએ. નોંધ:- આર. વિલિયમ્સ નોંધે છે કે તાંબરો અને દિગંબર આ વતને સરખા અતિચારો ગણાવે છે. સમંતભદ્ર ગણાવેલા અતિચારોમાં એ આવી જાય છે. તે આ પ્રમાણે છે : (૧) ચોરીથી મેળવેલા પદાર્થો લેવા (તેનાહૃતાવાર) (૨) ચોરી કરવાની પ્રેરણા આપવી (૩) શત્રુરાજ્યની હદ ઓળંગવી (વિરુઘરાાતિઝમ) (૪) ખોટાં તોલમાપ વાપરવાં (ટતુરાNIR) (૫) સારી વસ્તુને સ્થાને હલકી વસ્તુ મૂકવી ( તતHવ્યવહાર). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy