SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૧ अचौर्य ઉમાસ્વામી ચોરીની વ્યાખ્યા આ પ્રમાણે આપે છે: “જે આપવામાં નથી આવ્યું તેને લેવું તે ચોરી છે (સત્તાવાને તૈય).' ન આપેલી વસ્તુ લેવી તે ચેરી કર્યા બરાબર છેજો આ પ્રવૃત્તિ અશુદ્ધ વિચારની પ્રેરણાથી થતી હોય તો. સમતભદ્ર ચોરી કોને ન કહેવાય તેની વ્યાપક વ્યાખ્યા આપી છે. અચૌર્યવ્રતનું પાલન ન અપાએલી વસ્તુ ન લેવામાં છે. આ વસ્તુ જમીનમાં દટાએલી હોય તે શું? તે મુદ્દો કયાં તો રહી ગયો છે અથવા ભુલાઈ ગયો છે. બીજા શબ્દોમાં, અચૌર્યવ્રતનું પાલન, માલિકે ન આપેલી સંપત્તિ લેવામાંથી અટકવામાં છે. અમૃતચંદ્ર સ્પષ્ટ કહે છે કે ચોરીમાં હિંસા આવી જાય છે કારણ કે ન આપેલી વસ્તુ લેવામાં વિચારની શુદ્ધિને તે હાનિ થાય જ છે પણ જે વ્યક્તિની સંપત્તિ લઈ લેવામાં આવી હોય, તેને પણ દુઃખ થાય છે. શેરી જો પકડાય તે કેદની સજા થાય છે. બીજાનું લઈ લેવામાં પ્રમત્તયાગ અથવા કષાયયુકત પ્રવૃત્તિ થાય છે. બીજાની સંમતિ કે જાણ વગર તેની મિલકત લઈ લેવાની ઈચ્છા જીવની આધ્યાત્મિક અવનતિ દર્શાવે છે. માલિકની પરવાનગી વગર ગૃહસ્થે ખાનગી કૂવામાંથી પાણી લેવું ન જોઈએ. જાહેર કૂવા કે રસ્તા, જનતાના ઉપયોગ માટે જ હોવાથી તેમના ઉપયોગમાં કોઈ હરકત નથી. સમદેવ કહે છે કે જેઓ અચૌર્યવ્રત લે છે તેમણે બીજાનું કાંઈ લેવું ન જોઈએ. પછી ભલે તે ઘરમાં, ફળિયામાં, પાણીમાં જંગલમાં, કે ટેકરી પર હેય. ખાણ અને ગુપ્ત ખજાનાની માલિકી રાજાની છે. પછી ભલે તેમની માલિકી જાણીતી ન હોય. આપણા દેશના આધુનિક કાયદા સાથે આ મત મળતે આવે છે. બીજ વ્રતોની જેમ, અચૌર્યવ્રતના પણ અતિચારો હોય છે. કોઈ જાતે ચોરી ન કરે પણ બીજાની, ચોરી કરવા માટે ચઢવણી કરે અથવા તેને ચોરી કરવાના રસ્તા બતાવે ત્યારે તે ચરીને પ્રોત્સાહિત કરવાને અપરાધ કરે છે. ચોરાએલી સંપત્તિ લેવી તે બીજા પ્રકારનો અતિચાર છે ( થવા). ત્રીજા પ્રકારને અતિચાર વિદ્યાને નામે ઓળખાય છે. રાજ્ય મૂકેલા અંકુશ કે પ્રતિબંધની અવગણના કરીને કોઈ વસ્તુ મેળવવા વ્યકિત છુપા સેદા કરે ત્યારે આ અતિચાર થાય છે. ભેળસેળ સશ8િ એટલે ઊંચા પ્રકારના માલ સાથે ગેરકાયદેસર રીતે તેના જેવા જ રંગ કે પદાર્થને હલકા પ્રકારનો માલ ભેળવી દેવો અને વેચવો. દા. ત. ઘી કે માખણમાં ડાલડાનું મિશ્રણ કરવું. પાંચમા પ્રકારનો અતિચાર ખોટાં તોલમાપને ઉપયોગ કરવામાં જે-૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy