SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ જાહેર કરી દેવાં કે ખાનગીમાં અપાએલાં વચનોનો ભંગ કરે તે પણ અસત્ય છે. પિતે સાંભળી હોય તે ખાનગી વાતે જાહેર કરી દેવી તે પણ વાંધાભરેલું છે. બીજાની નિંદા કરવી કે બીજાની નિર્બળતાની વાત કરવી તે પણ ઠીક નથી કારણ કે તેનાથી જેની નિંદા થાય તેની પ્રતિષ્ઠા ઝાંખી પડે છે. ખાટાં લખાણ કરવાં કે ખોટી સાક્ષી આપવી (વટવા ) તે સમદેવના મતે ચેથા પ્રકારનો અતિચાર છે. આમાં ખોટા હિસાબ રાખવા કે જાળવવા કે બીજા વિષે ખેટા પ્રચાર કરવા તે પણ આવી જાય છે. વિશ્વાસનો ભંગ કરવો કે પોતાને સોંપાએલી વસ્તુ પચાવી પાડવી (ચાર) તે સત્યવ્રતને પાંચમો અતિચાર છે. ઘણી વખત લોકો પોતાનાં ઘરેણાં કે રોકડ રકમ, સંજોગવશાત્ બીજાને સોંપે છે, અને આશા રાખે છે કે જરૂર પડયે તે પાછાં મેળવી શકાશે. આવી પૂરી કે થોડી પણ થાપણ પાછી વાળવાનો ઇન્કાર કરવો તે અસત્ય છે. દિગંબર તેમજ શ્વેતાંબર બેને સંપ્રદાયોને સ્વીકાર્ય એવા કેટલાક ધર્મગ્રંને ઉલ્લેખ કરી આર. વિલિયમ્સ અસત્યનાં સ્વરૂપના વર્ગો આ પ્રમાણે પાડે છે : (૧) જે છે તેનો ઇન્કાર કરવો. (૨) જે નથી તેનું વિધાન કરવું. (૩) વસ્તુને સાચા સ્વરૂપથી ભિન્ન સ્વરૂપે રજુ કરવી (૪) નિન્દવાણી જે દુ:ખદાયક અને અપમાનજનક હોય છે તેમજ ચોરી કરવા જેવાં હાનિકારક કાર્યોની સલાહ આપે છે. હરિભદ્ર, સિધ્ધસેન ગણી, વગેરેએ દર્શાવેલા અતિચારોની તેમણે ગણના કરી છે. સંક્ષેપમાં તેમને આ પ્રમાણે ગણાવી શકાય. બરાબર વિચાર કર્યા વિના, કોઈના ઉપર તેણે ન કર્યો હોય એવા દોષનું આરોપણ કરવું, ઉપહાસમાં આક્ષેપ કરે, અમુક સંજોગોમાં પત્નીએ કહેલી ખાનગી વાત બીજાને જાહેર કરી દેવી, બીજાને દુ:ખ પહોંચે એવા શબ્દો બોલવા, બીજાની મુદ્રાઓની નકલ કરવી, અમુક સંજોગોમાં પત્નીએ કહેલી ખાનગી વાત બીજાને જાહેર કરી દેવી, કોઈએ ન કર્યું હોય એવું વિધાન તેના પર આરોપિત કરવું અને ચેષ્ટા કે ચહેરાના ભાવ ઉપરથી અનુમાન કરીને બીજાના ગુપ્ત ઈરાદાને ઈર્ષ્યા કે બીજા કોઈ હેતુથી પ્રગટ કરવો. જૈન ધર્મ અસત્યને હિંસાનું જ રૂપ માને છે. અસત્ય આ જન્મમાં કે બીજા જન્મમાં અનેક આપત્તિઓ લાવે છે. અસત્યવક્તા પોતાને જ દ્રોહ કરે છે. સત્ય હંમેશાં વિજયી નીવડે છે. તેથી દરેકે સત્યના આદર્શને વળગી રહેવું જોઈએ. અસત્યનું આચરણ કરનારે કેટલીક વખત જેલમાં જવું પડે છે. અસત્ય અપયશ અપાવે છે અને સંપત્તિને નુકસાન પણ કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy