SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ખોટું કથન કરવું તે અસત્ય છે. અસત્ય ચાર પ્રકારનું છે: (૧) સ્થિતિ, સમય, અને સ્વરૂપના સંદર્ભમાં, વસ્તુ અસ્તિત્વ ધરાવતી હોય, તેપણ તેના અસ્તિત્વનો ઇન્કાર કરવા. (૨) વસ્તુ અસ્તિત્વ ન ધરાવતી હોય છતાં તેનાં સ્થિતિ, સમય કે સ્વરૂપના સંદર્ભમાં અસ્તિત્વનું વિધાન કરવું (૩) વસ્તુ હોય તે કરતાં જુદી રીતે રજૂ કરવી, દા. ત. ઘેાડાને ગાય કહેવી. (૪) નિંદનીય અને પાપયુક્ત વાણી બાલવી. ૧૫૯ પ્રમાદયોગથી પ્રવૃત્ત થએલી કોઈ પણ વાણી અસત્ય છે. ચુગલીભરેલી, કર્કશ, અનુચિત, નિરર્થક કે અનૈતિક વાણી ગહિત કહેવાય છે. જે વાણી બીજાને વીંધવા, કાપવા, કે મારવા માટે ઉત્તેજિત કરે અને જીવના વિનાશ કરે એવી હોય તે પાપમુક્ત છે. બીજાને અસ્વસ્થતા, દુ:ખ, શત્રુતા, શાક કે પરિતાપ પહોંચાડતી વાણી અપ્રિય કહેવાય છે. અસત્યમાં એક કે બીજા પ્રકારની હિંસા હાય છે. વાણી પાછળનો આશય મહત્ત્વના છે. જ્યારે કોઈ સંત કે આચાર્ય, દુર્ગુણા કે વાંધાજનક આદતે વિરૂદ્ધ સારી સલાહ આપે ત્યારે તે અસત્ય બાલે છે એવું ન કહેવાય--પછી ભલે તેમની વાણીથી અપરાધી વ્યક્તિ લજ્જા કે અસુખ અનુભવે. ઉમાસ્વામી કહે છે કે સત્યનું પાલન કરવા ઇચ્છતી વ્યક્તિએ ક્રોધ, લાભ કાયરતા, ભય, પરિહાસ અને નિન્દ શબ્દોના ત્યાગ કરવા જોઈએ. પ્રસંગ કે આજુબાજુના સંજોગા જોતાં, નિન્દ શબ્દોની જરૂર હોય, તો જાણીજોઇને તેમનાથી દૂર રહેવાના પ્રયાસ ન કરવો જોઈએ. સામદેવ સત્ય અને અસત્યની કોટિઓમાં ભેદ પાડે છે કારણ કે કેટલીક વખત સત્ય, અસત્ય સાથે મિશ્રા થયેલું જોવા મળે છે. રહસ્યભેદ (રહસ્ય ફોડી દેવું), નિંદા, ચુગલી, ખાટાં લખાણ અને ખાટા સાગનને સત્યના બાધક ગણ્યા છે. અતિશયોક્તિ, દોષદર્શન અને અસભ્ય વાણીથી તે દૂર રહેવાનું કહે છે અને સલાહ આપે છે કે હ ંમેશાં ઉચ્ચ અને કલ્યાણકારક વાણી બોલવી તેમજ મિતભાષી થવું. બડાઈખારીથી કે બીજાના ગુણની ઇર્ષ્યા કરવાથી પણ અજાણતાં જ, અસત્યનું આચરણ થઈ જાય છે. સત્યપાલન કરવા માંગતા સૌને સમંતભદ્ર પાંચ અતિચારોથી સાવધ રહેવાનું કહે છે: સદાચારની વાત કે તેના નિયમેા વિષે ખોટી કે જુઠી શિખામણ આપવી (પરિવાર ) તે પહેલા અતિચાર છે. આચાર કે શ્રદ્ધામાં લોકોને ગેરરસ્તે દારવવા તે ઘણા મેટો દોષ છે અને તેના પરિહાર કરવા જોઈએ. બીજાનાં રહસ્યો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy