SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ તે અતિચાર થતા નથી. મનુષ્યા કે પ્રાણીઓને ખાવાની કે પીવાની જરૂર હાય, ત્યારે તેમને ભૂખે મારવાથી આ અતિચાર થાય છે. અહીં એ સમજાવવું ઠીક થઈ પડશે કે અહિંસા નકારાત્મક નથી. એ દયાની બીજી બાજુ છે. હેમચન્દ્ર દયાને ‘સર્વ પ્રાણીઓની કલ્યાણમયી માતા’, ‘સંસારસાગરમાં દુ:ખમાં ભટકતાં પ્રાણીનું અમૃત' કહે છે. આવી વિધેયાત્મક અહિંસાને ‘કરુણાદાન’ અથવા ‘અભયદાન’નાં રૂપે વ્યકત કરવામાં આવી છે. બધાં પ્રાણીઓને રક્ષણ આપવામાં સમાએલી છે. સમંતભદ્ર કહે છે કે અહિંસા જગતનાં પ્રાણીઓ માટે પરબ્રહ્મ સમાન છે. (ના ભૂતાનાં નતિ विदितं ब्रह्म परमम् । ) હિંસાને પરિણામે આ લોક કે પરલાકમાં દુ:ખ કે ભર્સના મળે છે. હિંસા કરનાર હંમેશાં સંતપ્ત અને ચિંતિત રહે છે, કારણ કે તે દુશ્મનાવટથી ભરેલા રહે છે. તે દુ:ખ અને પીડા અને કેટલીક વખત બંધન પણ સહન કરે છે. તેથી દરેક જણે હિંસાથી દૂર રહેવું જોઈએ, અને બધાં પ્રાણીઓનું હિત કરવું જોઈએ. સદ્ગુણી લાકોને જોઈને રાજી થવું જોઈએ. સંતપ્ત જીવા પ્રત્યે દયા અને સહાનુભૂતિ દર્શાવવાં જોઈએ, અને ઉદ્ધત તેમજ ધૃષ્ટ માણસા પ્રત્યે સહિષ્ણુતાભર્યું વર્તન રાખવું જોઈએ. આવી જાતનું આચરણ કરતી વ્યક્તિ અહિંસા અને બીજાં વ્રતાનું પૂર્ણ પાલન કરી શકે છે. આથી, ઉમાસ્વામીના કહેવા પ્રમાણે અહિંસાના સાધકે આટલા ગુણા ધરાવવા જોઈએ : પ્રાણીઓ પ્રત્યે મૈત્રી, પ્રમેાદ, (આનંદ), કારુણ્ય, માધ્યસ્થ્ય. સામદેવ કહે છે કે બધાં પ્રાણીઓની પ્રત્યેની દયા ચિંતામણિ રત્ન જેવી અમૂલ્ય અને ચમત્કારિક છે. सत्य સત્યનું સ્વરૂપ સમજી શકાય એવું છે પણ એની વ્યાખ્યા આપવી મુશ્કેલ છે. ઉમાસ્વામી કહે છે કે ‘ પ્રશંસનીય નથી તેને બાલવું તે અસત્ય ’. આ સૂત્ર પરની ટીકામાં પૂજયપાદ કહે છે કે કોઈ પણ પ્રાણીને દુ:ખ કે પીડા પહોંચાડવાં તે પ્રશંસનીય નથી—પછી તે હકીકતના સંદર્ભમાં હોય કે ન હોય, હિંસા ઉત્પન્ન કરતા શબ્દો અસત્ય છે. સમંતભદ્ર કહે છે કે જે સ્થૂળ અસત્ય બાલતા નથી તે બીજા પાસે બોલાવતા નથી. પેાતાને કે બીજાને વિપત્તિમાં આણે એવું, ભલે સત્ય હોય, તે પણ ન બાલે તે સ્થૂળ અસત્યના પરિહાર કરે છે એવું કહી શકાય. અમૃતચન્દ્ર સત્ય વિષે નકારાત્મક અભિપ્રાય આપ્યો છે. તેમના મત પ્રમાણે શરીર, મન કે વાણીના પ્રમાદયોગથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy