SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૭ કે જંગલી પ્રાણીઓને અને પક્ષીઓને પણ કોઈ હેતુ સિદ્ધ કરવાનો છે. તેથી જ સરકારે અને લોકોપકારવાદી સંસ્થાઓએ વન્ય પ્રાણીઓનાં રક્ષણ માટે ઝુંબેશ ઉપાડી છે. દુઃખ અને પીડામાં સબડતાં પ્રાણીઓને, તેમને દુઃખ અને પીડામાંથી મુક્ત થાય એમ કરીને મારી નાંખવાં એ પણ હિંસા છે. તેમને દાકતરી સહાય કે સારવાર આપવાં જોઈએ. સુખદુઃખ કર્મોનાં ફળરૂપે જ પ્રાપ્ત થાય છે. ઈજા કે રોગને કારણે દુઃખ અનુભવતાં પ્રાણીઓને જે દુઃખ થાય તેના કરતાં તેમની હત્યા કરવાથી તેમને વધારે દુઃખ થાય છે. હત્યા કરનારને તેનાં અનિષ્ટ કર્મને કારણે વધારે બંધન ઉત્પન્ન થાય છે. હત્યા મોટું પાપ છે કારણ કે સૌ જીવવા માંગે છે, મરવા નહીં. દયા સર્વ પ્રાણીઓની કલ્યાણમયી માતા છે. સમંતભદ્ર અહિસાવ્રતના પાંચ અતિચાર કહ્યા છે : છેવન, વંદન, જન, ગતિમારારોપણ અને આરિવાર. વ્રતની શુદ્ધિ પર આની અસર થાય છે કારણ કે આ પાંચમાં કોઈ પણ અતિચાર, નોકર કે પ્રાણી જેવા જીવને દુ:ખ આવે છે. છેદન એટલે કાન, નાક કે બીજા કોઈ પણ અંગને તલવાર, કુહાડી કે દાતરડાં જેવાં તીણ સાધનથી કાપવું. આ જ વસ્તુ નિરૂદ્દેશ ઝાડ કે ઝાડનાં થડને કાપવામાં પણ લાગુ પડે છે. પ્રમાદથી કે શિક્ષા કરવા માટે આવું કૃત્ય કરવામાં આવે પણ તે નિર્દય છે. બંધન એટલે મનુષ્ય કે પ્રાણીઓને પોતાના કબજામાં રાખવાં, અથવા ઢોરોને, ઘોડાને, કૂતરાઓને કે પાળેલાં પ્રાણીઓને બાંધવાં. બાંધવામાં સાપેક્ષતાનો સિદ્ધાંત લાગુ પાડવાનો છે. પોપટ કે પાંજરામાં પૂરવામાં આવતાં પક્ષીઓને પણ તે લાગુ પડે છે. નાસી ન જાય તે માટે અપરાધી મનુષ્યોને સાંકળે બાંધવાં કે દોરડાંથી તેમના હાથપગ બાંધવા તે અતિચાર છે. પીડન એટલે મનુષ્યો કે પ્રાણીઓને દોરડાં, ચાબૂક, દંડ કે લાકડીથી ટીપવાથી થતો અતિચાર. નોકોને લાત મારવી વગેરે આ અતિચારમાં જ આવી જાય છે. કાર્ય જ્યારે ક્રૂરતા કે નિર્દયતાથી થતું હોય, ત્યારે જ આ અતિચાર થાય છે. કાર્યને દૂર બનતું અટકાવવા માટે મર્મસ્થળો પર પ્રહાર ન કરવો જોઈએ તેમજ ઉમર વગેરેનો ખ્યાલ કર જોઈએ. અતિભારારોપણ એટલે બળદ, ઘોડા વગેરે પર કે તેમનાથી ખેંચાતાં વાહનો પર વધુ પડતો ભાર મૂકવો. શકિત હોય તેનાથી વધારે ભાર ઉપાડવા નોકરોને ફરજ પાડવી તે પણ એક અતિચાર છે. મનુષ્ય કે પ્રાણીની શકિત સૂચવાય તેનાથી અધિક ભાર તેમના પર મૂકવો તે આ અતિચારનો સારાંશ છે. આહારવારણ એટલે મનુષ્યો કે પ્રાણીઓને ખાતાં કે પીતાં અટકાવવાં. આરોગ્યને માટે અટકાવવામાં આવે For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy