SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ ઘણી ફરજોમાંની એક છે. એકમાત્ર મર્યાદા મૂકવામાં આવી છે કે શત્રુતા કે વેરભાવથી પ્રેરાઈને અનાવશ્યક હિંસક કૃત્યો કરવા જોઈએ નહીં. હિસાથી બચવા દારૂ, માંસ, મધ અને પાંચ ઉદુમ્બર ફળ (અંજીરની જાતિનાં ફળો–જેમાં અસંખ્ય જીવો હોય, દા. ત. ગુલર, અંજીર, વડના ટેટા, પીપળાનાં ફળો) નો ત્યાગ કરવો જોઈએ. આમાંના કોઈ પણ પ્રકારનું ફળ ખાતાં અસંખ્ય નાનાં અદશ્ય જંતુઓની હિંસા થાય છે. એટલું જ નહીં પણ ફળ, જે અસંખ્ય બીથી ભરેલું છે તેમાં બીની પણ હિંસા થાય છે. મદિરા ઘણા જીવનું જન્મસ્થાન છે. તેવી જ રીતે માંસ, પશુની હત્યા કરીને અથવા મૃત પશુમાંથી મળે છે. પ્રત્યેક જીવનો વિનાશ તે દયાને વિનાશ છે. મધથી દૂર રહેવાનું છે કારણ કે તેને સંગ્રહ કરવામાં હિંસા છે. વળી તેમાં અસંખ્ય નાનાં ઈંડાં હોય છે. મદિરા, પીનારના મનને ઉન્મત્ત કરે છે. તેને આથે ચડાવીને તૈયાર કરવામાં આવતી હોવાથી જીવહિંસા અનિવાર્ય બને છે. માંસાહારીઓ વારંવાર એવી દલીલ કરે છે કે શાકભાજી, ફળ, દૂધ અને અનાજ ખાવામાં પણ હિંસા છે, તેથી માંસાહાર સામે વાંધો ન હોવો જોઈએ. શાકાહારી ભોજન ખાવામાં એકેન્દ્રિય જીવોની હિંસા થાય છે જ પણ ચેતન જીવોની હિંસા થતી નથી. વ્યાવહારિક આવશ્યકતાઓ અનુસાર જૈન લેખકોએ, જીવના, તેમની ઇન્દ્રિયો તેમજ વિકાસ અનુસાર વર્ગો પાડ્યા છે. પશુઓના દેહમાં અસંખ્ય જડ અને ચેતન જીવે હેય છે તે વાત પ્રત્યે માંસાહારીઓની દલીલમાં દુર્લક્ષ સેવવામાં આવ્યું છે. સૂક્ષ્મદર્શી પરીક્ષાઓથી માલૂમ પડે છે કે પ્રાણીદેહમાં ઘણા જીવોનું અસ્તિત્વ હોય છે. પશુને વધ કરવામાં કે મૃત પશુનું માંસ ખાવામાં ઘણી ઇન્દ્રિયો ધરાવતા જીવોની હિંસા કરવામાંથી કોઈ મુક્ત રહી શકતું નથી. શાકાહારી ભોજનમાં આવું નથી થતું. એ ભેજનમાં ઓછામાં ઓછી હિંસા હોય છે અને તે પણ સ્થિર, એકેન્દ્રિય જીવોની જ. દેવને નામે યજ્ઞ કરવામાં કે અતિથિઓ પ્રત્યે સન્માન દર્શાવવા પ્રાણીઓને વધ કરવાને જૈન ધર્મ નિષેધ કરે છે. બીજાને નુકસાનકારક છે એમ ગણીને સિંહ, વાઘ, સાપ જેવાં પ્રાણીઓને વધ કરવો જોઈએ નહીં. બીવડાવવામાં ન આવે કે નુકસાન પહોંચાડવામાં ન આવે તો આ પ્રાણીઓ કાંઈ હાનિ પહોંચાડતાં નથી તે સ્વીકારવું જ રહ્યું. પ્રાણીજગતમાં અનિયંત્રિત વધ નથી થતા. મનુષ્યની સરખામણીમાં પ્રાણીઓ એકબીજા પ્રત્યે માયાભર્યું વર્તન રાખી જીવે છે. વધ ત્રાસજનક છે. સૌ પ્રાણીઓ જીવવા ઇચ્છે છે, મરવા નહીં. હવે એવી શોધ થઈ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy