SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૫ માંથી અટકવું ગૃહસ્થ માટે શકય નથી પણ બિનજરુરી હોય ત્યાં એકેન્દ્રિય કે સ્થાવર જીવોને હિંસા પહોંચાડવી ન જોઇએ. સાધુએ તે કોઈ પણ પ્રકારના જીવની હિંસા કરતાં અટકવાનું છે. વ્યવહારૂ ધર્મ તરીકે જૈન ધર્મે સામાન્ય માણસ માટે સામાન્ય રીતે શું કરવું શક્ય છે તેને વિચાર કર્યો છે. હિંસા બે પ્રકારની છે. સંવેપી (ઈરાદાપૂર્વકની) અને બારમી (વ્યવસાયાત્મક). શિકાર, પશુયજ્ઞ, આહાર કે રમત માટેની હિંસા તે ઈરાદાપૂર્વકની હિંસા છે. આમાંથી અટકી જઈએ તો કોઈને હાનિ થતી નથી. આરંભી હિંસા એટલે સામાન્ય જીવનક્રમમાં ગૃહસ્થથી થતી હિંસા તેના ત્રણ પ્રકાર છે. (૧) ૩ની (૨) મી અને (૩) વિરોધી. (૧) ઉદ્યમી : પોતાના અને કુટુંબના નિર્વાહ માટે ગૃહસ્થ કોઈક ને કોઈક વ્યવસાય પસંદ કરવાનું જ છે. જૈન ધર્મ છ વ્યવસાયની અનુમતિ આપે છે: (૧) અસિ એટલે કે તલવાર. કોઈ વ્યક્તિ રસૈનિક બની શકે અથવા તે કર્તવ્યપાલનમાં જેને તલવાર કે શસ્ત્ર વાપરવું પડે એવો અમલદાર બની શકે. (૨) મસિ એટલે શાહી. લેખનને ધંધે સ્વીકારી શકાય અથવા એવો કોઈ ધંધો લઈ શકાય અથવા કચેરીનું કામ થઇ શકે જેમાં લખવાની જરૂર પડે. (૩) કૃષિ–ખેતી. જમીન ખેડીને કૃષિ અથવા બાગાયતને લગતી પ્રવૃત્તિઓમાં જોડાઈ શકાય (૪) વાણિજ્ય અથવા વ્યાપાર. ઈરાદાપૂર્વકની હિંસા ન થતી હોય એવા વ્યાપારમાં ગૃહસ્થ જોડાઈ શકે. તે ખાટકી, કલાલ વગેરેનો વ્યવસાય સ્વીકારી ન શકે. (૫) શિલ્પ– માલસામાન ઉત્પન્ન કરવાને ધંધો તે કરી શકે (૬) વિદ્યા–સાહિત્ય, શિક્ષણ, કળા વગેરે વિદ્વત્તાભર્યા વ્યવસાયોમાં તે જોડાઈ શકે. આ ધંધાની જરૂરિયાતો પૂરી પાડવા માટે થતી હિંસાનો પરિહાર શકય નથી. (૨) ગૃહારંભી હિંસામાં ગૃહકાર્ય કે ઘરનાં કર્તવ્યો કરતાં કોઈક ને કોઈક હિંસા થાય છે જ. ઘર ચણવામાં, ભોજન તૈયાર કરવામાં, સ્નાન કે ધોવા માટે પાણીને ઉપયોગ કરવામાં, પશુપાલનમાં, બાગને તાજો રાખવામાં કે શાકભાજી ઉગાડવામાં કે કાપવામાં, કૂવો ખોદવામાં, પાક લણવામાં કે ફળ તોડવામાં હિંસા છે જ. ટૂંકમાં, ગૃહસ્થ તરીકેનાં કર્તવ્ય કરતાં જે હિંસા થાય છે તે ક્ષમ્ય છે કારણ કે તે સિવાય જીવન નિર્વાહ શકય નથી. (૩) વિરોધી હિંસા-સ્વરક્ષણ, માલમિલકતનું રક્ષણ, કુટુંબના સભ્યો કે સગાં અને મિત્રોનું રક્ષણ કરતાં હિંસાનું આચરણ થાય છે. ચોર, લૂંટારાથી, ડાકુથી કે યુદ્ધભૂમિ પર શત્રુથી રક્ષણ કરવું પડે છે. દેશની રક્ષા તે લશ્કરના સૈનિકની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy