SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ હોય ત્યારે પણ મન હિંસા કરવાની વિરૂદ્ધ હતું કે હિંસા કરવા તત્પર હતું? મનની સ્થિતિ અને ઉદ્દેશ્ય ઉપર બધો આધાર રાખે છે. ઉમાસ્વામી હિંસાને અર્થ “કષાયોથી અભિભૂત વ્યકિત કોઈ પણ વ્યક્તિને કોઈ પણ ઈન્દ્રિયવિહીન કરે તે એવો કરે છે. જૈન ધર્મ માને છે કે જડ જીવો ચાર ઈન્દ્રિયો ધરાવે છે : સ્પર્શ, કાર્યશકિત, શ્વસનક્રિયા અને સમયમર્યાદા. આ ઉપરાંત ગતિશીલ જીવો ઉપર ગણાવી તે ઉપરાંત બીજી બે કે તેથી વધુ ઈન્દ્રિયો ધરાવે છે. તે ઈન્દ્રિયો આ પ્રમાણે હોઈ શકે: સ્વાદ, વાસ, દર્શન, શ્રવણ, વાણી. સમનસ્ક જીવોની દશ ઇન્દ્રિયો હોય છે. જડ કે ચેતન જીવને આમાંની કોઈ પણ ઈન્દ્રિયથી વિમુખ કરવામાં આવે તો હિંસા થાય. આવી હિંસા જીવને દુઃખ અને પીડા પહોંચાડે છે. કષાયોને કારણે કે પ્રમાદથી જે હિંસા કરે છે તે હિંસાને દોષ આચરે છે. કષાયોના પ્રભાવને કારણે થએલી હિંસા તે માવદિક્ષા. શારીરિક ઈજા તે દક્ષિા . અહિંસાવ્રતના પાલનમાં દઢ રહેવા માટે ઉમાસ્વામી પાંચ પ્રકારના સંયમના નિયમ આપે છે : વાણીને સંયમ, વિચારને સંયમ, ગતિનું નિયમન, વસ્તુઓને લેવામૂકવામાં કાળજી અને ખાતાં કે પીતાં પહેલાં ખાવાપીવાનાં દ્રવ્યોનું પરીક્ષણ. પોતાની જાત પર અંકુશ અત્યંત મહત્ત્વ છે. અહિંસાવ્રતના પાલનમાં બીજાની લાગણી દુભવવામાંથી અટકવાનું હોવાથી, વાણી અને વિચારને સંયમ અત્યંત અનિવાર્ય છે. સૌએ પિતાનાં હલનચલનમાં ખૂબ કાળજી રાખવાની છે કારણ કે બેદરકારીથી હલનચલન કે ગતિ કરવામાં બીજાની હિંસા થવાનો ભય રહ્યો હોય છે. તેવી જ રીતે વસ્તુઓ લેતાં કાળજી રાખવામાં ન આવે તે નાના શુદ્ર જીવોને હાનિ પહોંચે છે. વસ્તુઓ ઉંચકતાં પહેલાં પણ આવી જ કાળજી રાખવાની છે. પોતાનું ખાવાનું કે પીવાનું લેતાં પહેલાં તેને તપાસીને ખાત્રી કરવી જોઈએ કે તેમાં કોઈ જંતુ નથી. ભાવહિંસા (હિંસાને આશય) અને દ્રવ્યહિંસા (સાચેસાચ હિંસા) વચ્ચે જૈન ધર્મ ભેદ જુએ છે. આથી હિંસામાંથી અટકવા માંગતી વ્યકિતએ રાખવાની સાવચેતી માટે પાંચ પ્રકારના સંયમોને સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે. સૂક્ષમ હિંસા અને સ્થૂળ હિંસા વચ્ચે પણ ભેદ માનવામાં આવ્યો છે. સૂક્ષ્મ હિંસામાં કોઈ પણ પ્રકારના જીવની હિંસા ઉપજાવતાં અટકવાનું છે. જ્યારે સ્થૂળ હિંસામાં બેકે તેથી વધુ ઇન્દ્રિય ધરાવતી વ્યકિતની હિંસામાંથી અટકવાનું છે. એક જ ઇન્દ્રિય ધરાવતાં છોડ, વૃક્ષ, પાક જેવા જીવોની હિંસા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy