SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૩ બધા જ લેખકોએ આ વ્રતે માટે નકારાત્મક વાક્યપ્રયોગ કર્યો હોવાથી ટીકાકારોએ વ્રત પાછળનાં દર્શનને નિષેધાત્મક માન્યું છે. આ સાચું નથી કારણ કે પ્રત્યેક વ્રતને નૈતિક નિષેધરૂપી નકારાત્મક પાસું છે તે નૈતિક કર્તવ્યનાં વિધાનરૂપી વિધેયાત્મક પાસું પણ છે. નિષેધના શબ્દોમાં બહુ અસરકારક વિધાન હોય છે. પ્રત્યેક નૈતિક આચાર, દશ ખ્રિસ્તી ધર્મદેશોની જેમ, નિષેધ પર જ નિર્ભર છે. પણ જૈન ધર્મમાં પ્રત્યેક અણુવ્રતને વિધેયાત્મક તેમજ નિષેધાત્મક પાસું હોય છે. અહિંસાને દયા પણ કહી શકાય કારણ કે દયા એટલે પ્રત્યેક પ્રાણી તરફ કરુણા. જૈન ધર્મ સમાજના બંધારણને કદી પડકાર્યું નથી પણ દયાભાવથી સમાજને ભરી દેવા પ્રયત્ન કર્યો છે. મનુષ્યો સ્વાર્થથી પ્રેરાતાં હોવાથી શુભ કાર્ય કરવાના ઉતરતી કક્ષાના હેતુઓ પણ બતાવ્યા છે. દરેક વ્રતને બે હેતુઓ છે : પ્રથમ પાનું આધ્યાત્મિક છે કારણ કે પ્રત્યેક વ્રતનું પાલન નવા કર્મના આસવને રોકશે. હિંસા, ચોરી, અસત્યના વિચારો પાપના કારણરૂપ હોય છે. આ વિચારો આચરણમાં મુકાય તે રાજ્ય સજા કરશે. બીજો હેતુ સામાજિક છે. પ્રત્યેક વ્રતના પાલનથી વ્યક્તિ પોતાનું સામાજિક ઋણ ચુકવશે. હિંસા અને ચોરી કરતાં અટકવું એટલે સમાજમાં શાંતિ અને સલામતી જાળવી રાખવાં. વ્રતપાલનનું આધ્યાત્મિક ફળ સંયમ અને મનની દુષ્પવૃત્તિઓનો અવરોધ છે, તે સાંસારિક ફળ માનસિક શાંતિ અને સમાજનું કલ્યાણ છે. સમcભદ્ર કહ્યું છે કે ગૃહસ્થનું આ ચારિત્ર પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રતો અને ચાર શિક્ષાવ્રતોનાં પાલનમાં છે. આ વિષયમાં હું પણ એ જ ક્રમને અનુસરીશ. अहिंसा પાંચ વ્રતમાં પહેલું વ્રત અહિંસાનું છે. અહિંસા એટલે હિંસાને અભાવ. બે કે તેથી વધુ ઇન્દ્રિયો ધરાવતાં ત્રસ અથવા જીવિત પ્રાણીની, ઇરાદાપૂર્વક, બીજા મારફત કે અનુમતિ આપીને હિંસા કરવામાંથી જે અટકે છે તે અહિંસાવ્રતનું પાલન કરે છે. જેના ચિંતકોનું કહેવું છે કે અહિંસા પરમ ધર્મ છે. અમૃતચંદ્ર સૂરિ કહે છે કે આસક્તિ અને કષાયોનો અભાવ તે અહિંસા. કષાયોથી અભિભૂત થએલી વ્યકિત બીજાની નહીં તો પોતાની તો હિંસા કરે જ છે. કષાયોથી મુક્ત થઈને, પૂરતી કાળજી સાથે મનુષ્ય આચરણ કરતે હોય ત્યારે બીજાં પ્રાણીના જીવની હિંસા થાય તો તે હિંસા નથી. આવી હિંસા જો બેદરકારીથી કે કષાયોના પ્રભાવ હેઠળ થાય, ત્યારે જરૂર તે હિંસા જ હોય છે. ખરેખરી હિંસા ન થઇ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy