SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ ભગવાન મહાવીરના સમયમાં સમાજના ચાર જૂથેા પાડવામાં આવ્યાંઃ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા. પ્રથમ બે વર્ગ માટેના નિયમો લગભગ સરખા છે. છેલ્લા બે વર્ગો માટે આવા જ નિયમે છે. વ્રત દ્વારા પ્રત્યેક વર્ગના ચારિત્રનું નિયમન કરવામાં આવતું અને સંઘના પ્રત્યેક સભ્યે નિયમનું પાલન કરવાનું રહેતું. વ્રત એટલે શું? વિચારણાપૂર્વક આચારના અમુક નિયમ પાળવાના પવિત્ર નિયમ તે વ્રત. સંતપુરુષની સલાહથી અથવા ચારિત્રના નિયમભંગમાંથી પોતાને બચાવવા માટે વ્રત લેવામાં આવે છે. તેના હેતુ મનને અંકુશમાં રાખવાના અને આધ્યાત્મિક માર્ગે જવા ચારિત્રનું ઘડતર કરવાના છે. પ્રામાણિક માગૅ પેાતાનું રક્ષણ કરી, તે દ્વારા સમાજનું રક્ષણ કરવાના તેના આશય છે. વ્રત સંકલ્પને સ્થિરતા આપે છે અને ગ્રહણ કરનારને અનિયમિત જીવનનાં અનિષ્ટ પ્રલાભનાથી બચાવે છે. તે જીવનને હેતુ આપે છે અને આચારવિચારને સુયોગ્ય માર્ગે વાળે છે. સંયમની વૃદ્ધિમાં તે સહાયકારક હોય છે અને મુક્ત જીવનનાં ભયસ્થાનામાંથી તે બચાવે છે. પ્રત્યેક વ્યક્તિ એક યા બીજી નિર્બળતા ધરાવતી હોય છે. પ્રત્યેક નિર્બળતાને ગણાવવી અને પ્રત્યેકના પ્રતિકારો નક્કી કરવા મુશ્કેલ છે. આથી આચાર અથવા નીતિના નિયમો મનુષ્યસ્વભાવનાં મૂળતત્ત્વ પર આધારિત છે. શ્રાવકધમ જૈન નીતિશાસ્ત્રને પાયો મેાક્ષ છે તે વાતનું પુનરાવર્તન કરવું બિનજરૂરી છે. સમ્યક્ ચારિત્રની નિશાની, ભ્રમરહિત, ક્રોધ, ધિક્કાર આદિ કષાયોહત વિચાર અને કાર્યમાંનું સમ્યક્ અભિશાસન છે. સમંતભદ્ર ચારિત્રની “હિંસા, અદ્ભુત, ચૌર્ય, મૈથુન, અને પરિગ્રહ—માંથી, (સમ્યક્ જ્ઞાન ધરાવતા મનુષ્યની) નિવૃત્તિ” એવી વ્યાખ્યા આપે છે. વ્યવહાર નય પ્રમાણે શુભ અને કલ્યાણમયનું અનુસરણ અને પોતાને તેમજ બીજાને જે નુકસાનકારક છે તેના પરિહાર તે ચારિત્ર. આ પાંચ વ્રતા સાધુઓ તેમજ ગૃહસ્થા બંનેને માટે છે. મર્યાદિત પ્રમાણમાં વ્રતના પરિપાલનને અણુવ્રત (નાનાં વ્રત) એવું કહે છે જ્યારે વ્રતોનાં સંપૂર્ણ પાલનને મહાવ્રત કહે છે. જેવી રીતે એક વિશિષ્ટ, ઉત્કૃષ્ટ ઔષધ રોગને દૂર કરે છે તેવી રીતે આ વ્રતોનું જાગૃતિપૂર્વક કરેલું પાલન દુ:ખાને દૂર કરે છે. મહાવ્રતા સાધુઓ માટે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy