SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ બનતું નથી, અને કર્મોનો ક્ષય પણ થતા નથી. (૩) રદ્દાવિશુધ્ધિ તપશ્ચર્યાના પરિપાલનથી ઉદભવતી શુધ્ધિ. બીજા પ્રકરણમાં આપણે જોઇશું કે જૈન નીતિશાસ્ત્ર સાધુઓ તેમજ ગૃહસ્થો માટે અનેક ઉગ્ર તપશ્ચર્યા સૂચવે છે. શ્રધ્ધાપૂર્વક આવી તપશ્ચર્યા કરવાથી મન વિશુધ્ધ બને છે અને જીવ અશુભ કર્મોથી મુક્ત બને છે. (૪) સૂક્ષ્મસંપરાય એટલે આપણાં દુ:ખ અને પુનર્જન્મના કારણરૂપ ઇચ્છા અને કષાયોના હ્રાસ. વિવિધ વ્રતો અને તપશ્ચર્યાના ઉદ્દેશ ત્યાગ કે શમન દ્વારા કર્મોના ક્ષય કરવાનો છે. (૫) અક્ષયયથારન્થાત એટલે અહે તાના આદેશાનુસાર પાપવૃત્તિઓનો નાશ. સાધુઓ તેમજ સૌંસારીઓ માટે આનું વિધાન કરવામાં આવ્યું છે. ૧૪૯ અને વ્રતા, દશ ગુણા, પાંચ સમિતિ, પરિસહો, ત્રિવિધ ગુપ્તિ તપશ્ચરણ જૈન નીતિશાસ્ત્રનાં નિયમન અને વિશુધ્ધિ અંગેના સિધ્ધાંતો છે. આમાંના પ્રત્યેકની જુદી ચર્ચા કરવી જોઇએ. આત્મસાક્ષાત્કારમાં સમ્યક્ ચારિત્રનુ મહત્વ એ છે કે સમ્યક્ જ્ઞાનનું જ્યારે આધ્યામિક નિગ્રહમાં રૂપાંતર થાય ત્યારે જ મુક્તિનો માર્ગ સરળ બને છે. ત્રિરત્નનો સિધ્ધાંત સ્પષ્ટપણે દર્શાવે છે કે જૈન દાર્શનિકોએ નૈતિક અને આધ્યાત્મિક અનુશાસનનુ પાલન કરવાથી મેાક્ષ મળે છે તે વિષયનુ પૂર્ણપણે મૂલ્ય આંકયુ છે. સમ્યક્ દર્શન, સમ્યક્ જ્ઞાન, અને સમ્યક્ ચારિત્ર— આમાંના એકનું પણ પાલન બાકીના બે વિના સાર્થક કે અસરકારક નથી; કારણ કે આધ્યાત્મિક તત્ત્વના સાક્ષાત્કારનો સિધ્ધાંત એક અમૂર્ત કલ્પના માત્ર નથી તેમ તેનું પાલન કરવું પણ સહેલું નથી. જૈને ભારપૂર્વક કહે છે કે શ્રધ્ધા વિના જ્ઞાન અને ચારિત્રની પ્રવૃત્તિ શકય નથી. આધુનિક માનસશાસ્ત્ર સ્પષ્ટપણે નિર્દેશ કરે છે કે કોઇ પણ ઇલાજમાં શ્રધ્ધા ચાવીરૂપ છે. તે પ્રમાણે આ સિધ્ધાંત સમજી શકાય એવા છે. સત્ય માટેના પ્રેમ આધ્યાત્મિક ઉન્નતિ માટેના પ્રેમ ઉત્પન્ન કરે છે અને તે પૂર્ણજ્ઞાનની પ્રાપ્તિમાં પરિણમે છે. સર્વજ્ઞત્વ પ્રાપ્ત કર્યું હાવા છતાં બધી પ્રવૃત્તિઓનો અંત ન આવે, ત્યાં સુધી જીવ દેહથી છુટો થતો નથી. સંપૂર્ણ આધ્યાત્મિક સયમ પ્રાપ્ત થાય ત્યારે જ કર્મોના અંત આવે છે. મિથ્યા વૃત્તિઓ, વિકૃત જ્ઞાન, અને વિકૃત આચરણ સંસારના કારણરૂપ છે, તેથી આવરણીય કર્મોને દૂર કરીને રત્નત્રય અભિવ્યકત થાય, ત્યારે જ મેાક્ષ મળી શકે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy