SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ નિરર્થક છે. આવી વ્યકિત સુખડને ઉંચકીને જતા અને છતાં તેની સુગંધને ન માણતા ગધેડા જેવી છે. કાર્ય દ્વારા કર્મને વિનાશ કરવાનું છે. સમ્યક દર્શન અને સમ્યક્ જ્ઞાન સાથે ચારિત્રને સંવાદ સધાય તો જ તે પૂર્ણ ગણાય. સમ્યક ચારિત્ર ઈન્દ્રિય અને મનની પ્રવૃત્તિઓનું શમન કરી, આત્માની ઉન્નતિ સાધે છે. વિચારની શુદ્ધિ અને આત્મનિગ્રહ દ્વારા જ તેની પ્રાપ્તિ થાય છે. મનનાં પાપ કરતાં દેહનાં પાપ વધુ હાનિકારક હોવાથી જૈન વિચારકોએ વર્તનચારિત્રને ઘણું મહત્ત્વ આપ્યું છે, કારણ કે તેની અસર માત્ર તેના કર્તાને જ નથી થતી પણ બીજાને પણ થાય છે. કાર્ય, વાણી કે લખાણનાં રૂપમાં સંકલ્પની બાહ્ય અભિવ્યકિત તે જ ચારિત્ર. જીવ અને બીજા સાથે સંબદ્ધ હોવાથી પ્રામાણિકતા, દયા, કૃપા, અને ક્રોધ, ધિક્કાર, માન તેમજ ધૃણાને અભાવ એ તેનાં વિશિષ્ટ ચિહનો હોવાં જોઈએ. આમ જૈન નીતિશાસ્ત્ર મનુષ્યની પ્રવૃત્તિનાં વ્યકિતગત તેમજ સામાજિક પાસાંને આવરી લે છે. અહિંસા અને સર્વ પ્રાણીઓ પ્રત્યે પ્રેમ એ સમ્યક ચારિત્રને પાયો છે. તે જીવને તેજસ્વી બનાવે છે અને વ્યકિતને આધ્યાત્મિક બળ આપે છે. મનુષ્યોનાં માનસિક ઉપસ્કરણની કક્ષાએ વિભિન્ન કોટિની હોય છે, તે સૌએ અનુભવ્યું અને જાણ્યું હોય છે. આથી સમ્યક ચારિત્રાના બે પ્રકારો માનવામાં આવ્યા છે. સવાર અને વિવાર. સકલ ચારિત્રામાં ચારિત્રના બધા નિયમોનું કઠોરતાપૂર્વક તેમજ વધુ ઉચ્ચ આધ્યાત્મિક ક્ષમતાપૂર્વક પાલન કરવાનું હોય છે. વિકલ ચારિત્રમાં આ જ રીતનું પાલન, શકય એટલી શુદ્ધિપૂર્વક તેમજ વધુ ઉદ્યમપૂર્વક કરવાનું હોય છે. આથી સકલ ચારિત્ર મુનિ માટે જ છે–એ મુનિધર્મ છે. વિકલ ચારિત્રા ગૃહસ્થ માટે છે. સમ્યફ ચારિત્રને ઉદ્દેશ મનની શાંતિ અને દૈનિક જીવનમાં સુખપ્રાપ્તિ ઉપરાંત કર્મને ક્ષય કરવાને પણ છે. તેથી ઉત્તરધ્યાનકૂટ ચારિત્રની સિધ્ધિ માટે કેટલાંક વિશાળ વર્તનને આદેશ કરે છે: (૧) સામાયિક- દરેક પાપપૂર્ણ વસ્તુને પરિહાર. આમાં પ્રત્યેક વ્યકિતએ હાનિકારક પ્રવૃતિને રોકવાની છે. આવો પરિહાર જૈન નીતિશાસ્ત્રને પ્રાણ છે અને તીર્થકરોના સંદેશમાંનો એક છે. (૨) શોપથાપન સમ્યક ચરિત્રના મર્મમાં નવા મુમુક્ષની દીક્ષા. ચારિત્રના બધા નિયમન એને માત્ર પરિચય જ નથી કરાવવાનો પણ તે નિયમો પાછળ ઉદ્દેશ પણ સમજાવવાનું હોય છે. નિયમ કે વ્રતની ઉપરછલ્લી સમજથી મન ઉન્નત થતું નથી. ચારિત્રપાલનમાં અજ્ઞાન નડતું હોય તે મન ઉજજવળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy